Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા, તપાસ ચાલુ

Webdunia
રવિવાર, 19 માર્ચ 2023 (16:05 IST)
પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને ભાગેડું જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
 
જલંધરના પોલીસ કમિશનર કુલદીપસિંહ ચહલે શનિવારે મોડી રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહ હાલ ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીશું.”
 
તેમણે જણાવ્યું હતું કે, “અમૃતપાલ સિંહની બે કાર અને બંદૂકધારીઓ જપ્ત કરવામાં આવ્યા છે. અમે એ પણ શોધ કરી રહ્યા છે કે તેમની સુરક્ષામાં રાખવામાં આવેલા હથિયાર ગેરકાયદે છે કે કેમ. તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે.”
 
પંજાબ પોલીસે તેમના ટ્વિટર હૅન્ડલ પર માહિતી આપી છે કે, “વારિસ પંજાબ દે સામે કાર્યવાહીમાં અત્યારસુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ ફરાર છે, પોલીસ ટીમ તેમને શોધી રહી છે. આઠ રાઇફલ, એક રિવૉલ્વર સહિત નવ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવી છે.”
 
વર્તમાન સ્થિતિ જોતા અમૃતપાલ સિંહના ગામ જુલ્લુપુરમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે અને પંજાબમાં રવિવારે બપોર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments