Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૃષિ કાયદો: પ્રિયંકા ગાંધીએ PM મોદીને પત્ર લખી, લખીમપુર ખેરીના પીડિતો માટે કરીન્યાયની માંગ

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (14:38 IST)
કૃષિ કાયદાના પાછો ખેંચવાની જાહેરાતપર રાજકારણ ચાલુ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક તરફ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે તો બીજી તરફ પીએમ મોદીને પત્ર લખીને લખીમપુર ખેરી ઘટનામાં પીડિતોને ન્યાય આપવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનૌમાં છે અને મેં તેમને પત્ર લખીને લખીમપુર ખેરી કેસમાં પીડિતો માટે ન્યાયની માંગણી કરી છે. પ્રિયંકાએ પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું છે.
 
પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર
 
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ અને યોગી લખીમપુર ખેરી ઘટનાના આરોપીના પિતા સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે. લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને ક્યારે મળશે ન્યાય. આ પહેલા શુક્રવારે પીએમ દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણીમાં હાર દેખાવા લાગીત્યારેઆ દેશનું સત્ય  સમજાયું .પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે ચૂંટણીમાં હાર જોયા પછી અચાનક તમને આ દેશની સચ્ચાઈ સમજાવા લાગી કે આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે, આ દેશ ખેડૂતોનો છે, ખેડૂત આ દેશનો સાચો રખેવાળ છે. .

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments