Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - ટિકિટ વગર મુસાફરી કરી રહેલા લોકોને ચાલુ ટ્રેનમાં પોલીસ મારી રહી હતી લાત, ક્રૂરતાનો વીડિયો થયો વાયરલ

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:00 IST)
પ્રતિનિયુક્તિ પર ગોઠવાયેલ કેરલ પોલીસના એક કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને વારંવાર લાતથી મારતો દેખાય રહ્યો છે. વીડિયો વાયરલ થયાબાદ રાજ્ય પોલીસની ઘણી આલોચના થઈ રહી છે. એક મુસાફર દ્વારા બતાવેલ લગભગ 20 સેકંડના આ વીડિયોમાં ટ્રેનના ડબ્બામાં દરવાજાની પાસે નીચે બેસેલા એક વ્યક્તિને પોલીસ કર્મચારી વારેઘડી લાત માર્યા પછી ઘૂંટણને બળે બેસેલો જોઈ શકાય છે. આ ઘટના રવિવારે માવેલી એક્સપ્રેસ ટ્રેનની છે. 
 
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પોલીસ કર્મચારી એએસઆઈ છે. બીજી બાજુ એક અન્ય પોલીસ કર્મચારી કન્નુરથી ટ્રેનમાં સવાર થયો અને મુસાફરોની ટિકિટ તપાસવા લાગ્યો. પીડિતને તેમણે ટિકિટ નહી હોવાની શંકામાં મારી અને પોલીસનો દાવો છે કે તે દારૂના નશામાં હતો. તેને વડાકરામાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યો. કન્નૂરના પોલીસ અધીક્ષક પી. એલનગોવને સોમવારે મીડિયાને બતાવ્યુ કે વિશેષ શાખાના એએસપીથી આ મામલા પર રિપોર્ટ માંગવામાં આવી છે. 

<

A video of a police officer attacking a hapless traveller in an express train on Sunday night near Kannur (north Kerala) has turned viral triggering enough indignation in the state. pic.twitter.com/Vv4M0716j4

— Hindustan Times (@htTweets) January 3, 2022 >
 
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કેરલ પોલીસની ટીમે નવા વર્ષના ઉત્સવ માટે એક વિદેશી નાગરિકને તેના દ્વારા સરકારી દારૂની દુકાનમાંથી ખરીદવામાં આવેલી દારૂની બોટલો ખાલી કરવા મજબૂર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. વિદેશી નાગરિક સાથે જોડાયેલ આ મામલામાં રાજ્ય સરકારે શનિવારે એક પોલીસ કર્મચારીને બહાર કરવામાં આવ્યા છે. 

 
કર્મચારીઓની સમયસૂચકતાથી ટળી ટ્રેન દુર્ઘટના, મળ્યો ડીઆરએમ એવોર્ડ 
 
બીજી બાજુ બિહારના સમસ્તીપુરમાં પાયલોટ અને ટ્રેક મૈનની સમયસૂચકતાને કારણે એક મોટી રેલ દુર્ઘટના ટળી  ગઈ છે.  જેના કારણે લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ટ્રેક મેનને રોકડ રકમ આપીને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેલ્વે ડિવિઝનલ હેડક્વાર્ટર ખાતે, DRM આલોક અગ્રવાલે લોકો પાઇલટ આલોક કુમાર પટેલ અને સહાયક લોકો પાઇલટ આલોક કુમાર II અને નરકટિયાગંજના ટ્રેક મેન્ટર, રમેશ પાસવાનને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા. બંને લોકો પાઈલટ મુઝફ્ફરપુર ક્રૂમાં કામ કરી રહ્યા છે, જ્યારે ટ્રેક મેન્ટર્સ નરકટિયાગંજમાં કામ કરી રહ્યા છે.
 
12 ડિસેમ્બર 2021ના રોજ રામગઢવા-સુગૌલીની વચ્ચે ટ્રેન નંબર-05262 ડાઉનને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન એ લોકો પાયલોટ અને સહાયક લોકો પાયલટ દ્વારા જોવામા આવ્યુ કે ટ્રેકને કિનારે શેરડીથી ભરેલુ એક ટ્રેક્ટર ટ્રોલી પલટાઈ ગઈ છે. જે ટ્રેકને ઈનફ્રીજ કરી રહી છે. આ જોતા જ ઈમરજેંસી બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી અને દુર્ઘટના થતા બચાવી લેવામાં આવી. 
 

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments