Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑસ્ટ્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે'

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2024 (16:30 IST)
રશિયાની યાત્રા પછી ઑસ્ટ્રિયા પહોંચીને નરેન્દ્ર મોદીએ બુધવારે ઑસ્ટ્રિયામાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારતની અર્થવ્યવસ્થા, નીતિ અને ઑસ્ટ્રિયા અને ભારતના ઐતિહાસીક સંબંધનો ઉલ્લેખ કર્યો હતો.
 
તેમણે કહ્યું, "ભારત અને ઑસ્ટ્રિયાના સંબંધો ઐતિહાસિક રહ્યા છે. વિયેનાની યૂનિવર્સિટીમાં લગભગ 200 વર્ષ પહેલાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો હતો."
 
તેમણે ગાંધીજીની વિદ્યાર્થિની મીરા બહેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પોતાનો અંતિમ સમય વિયેનામાં જ વિતાવ્યો હતો.
 
વડા પ્રધાન મોદીએ સંબોધનમાં લોકસભાની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લોકસભાની ચૂંટણી વિશે કહ્યું, "થોડાક જ અઠવાડિયાં પહેલાં થયેલી ચૂંટણીમાં 65 કરોડ લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો અને આટલી વિશાળ ચૂંટણીના પરિણામો ગણતરીના કલાકોમાં જ આવી જાય છે.”
 
તેમણે આ વાતનો શ્રેય ભારતની ચૂંટણી વ્યવસ્થા અને ભારતના લોકતંત્રને આપ્યો.
 
તેમણે કહ્યું, "આ ચૂંટણીમાં સેંકડો રાજકીય દળોના આઠ હજારથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ સ્તર પર અને આટલી વિવિધતાવાળી ચૂંટણી પછી જનતાએ પોતાનો જનાદેશ આપ્યો છે."
 
તેમણે કહ્યું, "60 વર્ષ પછી એક સરકારને સતત ત્રીજી વખત ભારતની સેવા કરવાનો મોકો મળ્યો છે. કોવિડ પછી આપણે વિશ્વમાં ચારેતરફ રાજકીય અસ્થિરતા જોઈ છે. મોટાભાગના દેશોમાં સરકારો માટે ફરીથી સરકાર બનાવી સરળ નથી રહીં. ફરીથી ચૂંટાઈને સરકારમાં આવવું એક મોટો પડકાર રહ્યો છે."
 
"આવી સ્થિતિમાં ભારતના લોકોએ મારા પર, મારી પાર્ટી પર અને એનડીએ પર ભરોસો કર્યો. આ જનાદેશ એ વાતનું પ્રમાણ છે કે ભારત સ્થિરતા અને નિરંતરતા ઇચ્છે છે. આ નિરંતરતા છેલ્લાં દસ વર્ષોના કાર્યક્રમો અને નીતિઓની છે."
 
વડા પ્રધાન મોદીએ કહ્યું કે 41 વર્ષ પછી કોઈ ભારતીય વડા પ્રધાન ઑસ્ટ્રિયા પહોંચ્યા છે.
 
આ પહેલાં મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશી યાત્રા માટે રશિયાનું ચયન કર્યું હતું.
 
મોદી જે દિવસે રશિયા પહોંચ્યા તે દિવસે જ યુક્રેનમાં બાળકોની એક હૉસ્પિટલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડા પ્રધાન મોદીની મુલાકાત પર પણ સવાલો ઊઠ્યા હતા.
 
ઑસ્ટ્રિયાના એક દિવસીય પ્રવાસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ભારત પાછા ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments