rashifal-2026

દુકાનદારને ધર્મ પુછો અને હનુમાન ચાલીસા વાંચવા કહો, પછી ખરીદો સામાન - નિતેશ રાણેએ આપ્યુ ફરી વિવાદિત નિવેદન

Webdunia
શનિવાર, 26 એપ્રિલ 2025 (13:58 IST)
Nitesh Rane Controversial Statement: મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ શુક્રવારે કહ્યુ કે હિન્દુઓને દુકાનદારો પાસેથી કશુ પણ ખરીદતા પહેલા   તમારે તેમનો ધર્મ  પૂછવો જોઈએ. નિતેશ રાણેની આ વિવાદાસ્પદ ટિપ્પણી પહેલગામ આતંકવાદી હુમલા પછી આવી છે. રત્નાગિરિ જિલ્લાના દાપોલી શહેરમાં એક સભાને સંબોધતા રાણેએ કહ્યું, "તેઓએ અમને મારતા પહેલા અમારો ધર્મ પૂછ્યો. તેથી, હિન્દુઓએ પણ કંઈપણ ખરીદતા પહેલા તેમના ધર્મ વિશે પૂછવું જોઈએ."
 
એટલું જ નહીં, મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ વધુમાં કહ્યું, "જો તેઓ તમારો ધર્મ પૂછી રહ્યા છે અને તમને મારી રહ્યા છે, તો તમારે કંઈપણ ખરીદતા પહેલા તેમનો ધર્મ પણ પૂછવો જોઈએ. હિન્દુ સંગઠનોએ આવી માંગ ઉઠાવવી જોઈએ." ભાજપના નેતાએ કહ્યું કે એવું પણ શક્ય છે કે કેટલાક દુકાનદારો પોતાનો ધર્મ જાહેર ન કરે અથવા પોતાની શ્રદ્ધા વિશે ખોટું બોલી શકે.
 
'જો તમે હનુમાન ચાલીસા વાંચી શકતા નથી, તો તેમની પાસેથી કંઈપણ ખરીદશો નહીં' - નિતેશ રાણે
વિવાદાસ્પદ ટિપ્પણીને આગળ ધપાવતા નિતેશ રાણેએ કહ્યું, "જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ છો, ત્યારે તેમના ધર્મ વિશે પૂછો. જો તેઓ કહે છે કે તેઓ હિન્દુ છે તો તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો. જો તેઓ હનુમાન ચાલીસા જાણતા નથી તો તેમની પાસેથી કંઈપણ ખરીદશો નહીં."
 
પહેલગામમાં એક વ્યક્તિને તેના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી
દક્ષિણ કાશ્મીરના પહાગામમાં બૈસરન ખીણમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ નિર્દોષ લોકો હતા જેઓ પોતાના પરિવાર સાથે યાદગાર ક્ષણો વિતાવવા કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. આતંકવાદીઓએ પહેલા પર્યટન સ્થળ પર હાજર લોકોને ધર્મના આધારે પોતાને અલગ કરવા કહ્યું. પછી તેમને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું, કલમા શીખવવાનું કહેવામાં આવ્યું અને જેઓ કલમાનો પાઠ ન કરી શકતા હતા તેમને ગોળી મારી દેવામાં આવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

સુનીતાના ખોળામાં 3 મહિનાની પુત્રીએ તોડ્યો હતો દમ, ગોવંદાને જોઈતો હતો પુત્ર, ડોક્ટરને વિનંતી કરતી રહી પત્ની

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

આગળનો લેખ
Show comments