Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાયણ સરોવર નર્મદા નીરથી ભરાશે કચ્છમાં પાણી - રૂપાણીની ઘાસચારાની સ્થિતિની સમીક્ષા

Webdunia
શનિવાર, 11 મે 2019 (15:40 IST)
કચ્છનું નારાયણ સરોવર તળાવ પણ નર્મદાના નીરથી છલોછલ ભરવામાં આવશે. અછતનો સામનો કરતા કચ્છી માડુઓ સાથે કેન્દ્રની અને રાજ્યની સરકાર છે તેથી કોઇ મુશ્કેલી નહીં સર્જાય પાણી પ્રશ્ર્નને ગંભીરતાથી લઇને લોકોને તથા પશુ-પક્ષીઓ માટે પણ પાણીની અછત ન સર્જાય તે માટે કામગીરી કરવામાં આવશે, એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાને સરહદી કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન દુષ્કાળગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમ જ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોની માહિતી મેળવી હતી. કોટેશ્ર્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છમાં હાલ 481 ઢોરવાડામાં ર લાખ 8પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત 1 લાખ 17 હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ 3 લાખ 90 હજાર પશુઓને આવરી લેવાયા છે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ 10 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર019 સુધીમાં 1ર00 એમસીએફટી ભરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kumar Sanu Birthday- પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ દિવસમાં 28 ગીતો ગાયાં હતા

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

આગળનો લેખ
Show comments