Webdunia - Bharat's app for daily news and videos

Install App

Statue of Unity નિકટ આવેલા ટેન્ટસીટીમાં મોડી રાત્રે લાગી આગ

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (11:11 IST)
. ગુજરાતમાં તાજેતરમાં જ જનતાને સમર્પિત કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે એક ગોદામમાં આગ લાગી ગઈ. આ ઘટના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટસીટીમાં બની છે.  મોડી રાત્રે લાગેલી આ આગ પર ત્રણ ફાયર ટેંડર્સએ કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈને જાનહાનિત થવાની સૂચના નથી. 

<

Gujarat: A fire broke out in a godown near the Statue of Unity last night. It was later doused with the help of three fire tenders. No casualties were reported. pic.twitter.com/IIozRJ4oe9

— ANI (@ANI) February 13, 2019 >
 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસીટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગી છે, જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.
 
આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી, બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરના દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. ઉદ્દઘાટનના પહેલા જ દિવસે સ્ટેચ્યુ ઓફ યૂનિટીને જોવા માટે 27 હજાર લોકોની ભીડ ઉમટી પડી હતી. 
 
સરદાર સરોવર ડેમ પાસે આવેલ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટીને 2989 કરોડના રોકાણથી બનાવ્યુ છે. આ વિશાળકાય પ્રતિમાને જોવા માટે દેશ અને દુનિયાભરના લોકો અહી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments