Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર - નરેન્દ્ર મોદી

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (20:29 IST)
‘રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર છે,’ એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં નોટબંધી વિશે કોંગ્રેસે કરેલા આક્ષેપોના જવાબમાં કહ્યું હતું.  મોદીની આ ટિપ્‍પણી બાદ રાજ્‍યસભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ પોતાની સીટોથી ઉભા થઈને ગળહની વચ્‍ચોવચ આવી ગયા હતા. આ ટિપ્‍પણીને અપમાનજનક ગણાવીને વોકઆઉટ કરી ગયા હતા.

વડાપ્રધાન નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ તરફથી જારી પુસ્‍તિકાના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા. આ ગાળા દરમ્‍યાન મોદીએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ 70 વર્ષની આઝાદીના હજુ સુધીના ઈતિહાસમાં અડધા સમય સુધી મહત્‍વપૂર્ણ ર્આથિક હોદ્દા ઉપર રહ્યા હતા અને આ ગાળા દરમ્‍યાન ખૂબ જ મોટા કૌભાંડો થયા હતા. છતાં તેમના ઉપર કોઈ કલંક લાગ્‍યા ન હતા.  ઈન્‍દિરા ગાંધી પર ટિપ્‍પણી દરમિયાન પણ હોબાળો થયો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે બેન્ક લૂટ પછી માર્યા ગયેલા આતંકીઓ પાસેથી નવી નોટો મળી છે. તેના માટે નોટબંધી પર દોષારોપણ કરવું યોગ્ય નથી.

ઈન્દિરા ગાંધીના સમયમાં નોટબંધી વિશે સમિતિએ ધ્યાન દોર્યું હતું. વાંચુ સમિતિએ ત્યારે નોટબંધીનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારે આટલી બધી સમસ્યા ન હતી , નોટબંધી પર વિપક્ષના પ્રશ્‍નોનો જવાબ આપતા અને તેનાથી થયેલા ફાયદાનો ઉલ્લેખ કરતા મોદીએ કેટલીક વાત કરી હતી. મોદીએ પૂર્વ વહીવટીકાર ગોડબેલાના પુસ્‍તકને ટાંકતા કહ્યું હતું કે ઈન્‍દિરા ગાંધીએ પોતાના શાસનકાળમાં વાંચુ કમિટીની નોટબંધીની ભલામણો માની ન હતી. પુસ્‍તકને ટાંકતા મોદીએ કહ્યું હતું કે ઈન્‍દિરા ગાંધીએ કહ્યું હતું કે અમને આગામી ચૂંટણીઓ પણ લડવી છે. આ અગાઉ ભાજપની સંસદીય બેઠક પણ યોજાઈ હતી. આજે રાજ્‍યસભામાં વડાપ્રધાનના નિવેદન દરમિયાન હોબાળો થયો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈપણ વાત કરી છે તેનો ઉલ્લેખ પુસ્‍તકમાં કરાયો છે. જો કોઈ કોંગ્રેસીને પરેશાની છે તો કેસ કરી શકે છે. મોદીએ સંસદના બંને ગળહોમાં રાષ્‍ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્‍તાવ પર પોતાની રજુઆત કરી હતી. મોદીએ નોટબંધી બાદ બોગસ નોટ અને ટેરર ફંડીગના મુદ્દા પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે 700થી વધુ માઓવાદી શરણાગતિ સ્‍વીકારી ચુક્‍યા છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments