Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદ દિવસ - ભગત સિંહે ફાંસી પહેલા સફાઈ કર્મચારીને બતાવી હતી પોતાની અંતિમ ઈચ્છા, જે ન થઈ શકી પુરી

શહીદ દિવસ
Webdunia
રવિવાર, 23 માર્ચ 2025 (09:29 IST)
Martyrs Day: ક્રાંતિકારી ભગત સિંહની આજે એટલે કે  23 માર્ચે પુણ્યતિથિ છે. તેને શહીદી દિવસ અથવા બલિદાન દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. આઝાદી માટે 23 વર્ષની વયે ફાંસી પર ચઢનારા ભગત સિંહ ઈંકલાબ જિંદાબાદ અને સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવતા હતા. 23 માર્ચ 1931ના રોજ લાહોરની સેંટલ જેલમાં ક્રાંતિકારી રાજગુરૂ અને સુખદેવન્જી સાથે ફાંસીની સજા ભોગનારા ભગતસિંહની મૃત્યુ પહેલા અંતિમ ઈચ્છા હતી જે પુરી થઈ શકી નથી. 
 
કોઠરી નંબર 14માં બંધ હતા ભગત સિંહ 
 
ઉલ્લેખનીય છે કે ભગત સિંહ લાહોર સેંટલ જેલમાં કોઠરી નંબર 14માં બંધ હતા, જેની ફર્શ પણ કાચી હતી. તેના પર ઘાસ ઉગી હતી. કોઠરી એટલી નાની હતી કે તેમા ખૂબ જ મુશ્કેલીથી ભગત સિંહનુ શરીર આવી શકતુ હતુ. જો કે તેઓ જેલની જીંદગીના આદી થઈ  ગયા હતા. 
 
અંતિમ ઈચ્છા ન થઈ શકી પુરી 
 
ઉલ્લેખનીય છે કે ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને નિર્ધારિત સમયના 12 કલાક પહેલા ફાંસી આપવામાં આવી હતી. તેમને 24 માર્ચે ફાંસી આપવાની હતી. આ પહેલા ભગત સિંહે જેલના સફાઈ કર્મચારી બેબેને વિનંતી કરી કે તે ફાંસીના એક દિવસ પહેલા તેમને માટે ઘરનુ ભોજન લઈ આવે. 
 
પરંતુ બેબે ભગત સિંહની અંતિમ ઈચ્છા પુરી ન કરી શક્યો. કારણ કે તેમને સમય પહેલા જ ફાંસી આપવાનો નિર્ણય થઈ ગયો હતો અને બેબેને જેલમાં ઘુસવા દેવામાં આવ્યા નહી. 
 
ખિસ્સામાં મુકતા હતા ડિક્શનરી અને પુસ્તક 
 
ભગત સિંહ વિશે બતાવાય છે કે તેઓ પોતાના એક ખિસ્સામાં ડિક્શનરી અને બીજામાં પુસ્તક મુકતા હતા. તેમન મગજમાં પુસ્તકી કીડો હતો. 
 
કોઈ મિત્રના ઘરે ગયા કે પછી ક્યા બેઠા છે તો તે તરત જ પોતાના ખિસ્સામાંથી પુસ્તક કાઢીને વાંચવા માંડતા હતા. આ દરમિયાન અંગ્રેજીનો કોઈ શબ્દ સમજાતો નહોતો તો તેઓ ડિક્શનરી કાઢીને તેનો અર્થ સમજી લેતા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments