Webdunia - Bharat's app for daily news and videos

Install App

LK Advani News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, મોડી રાત્રે દિલ્હીના એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

lal krishna advani
Webdunia
શનિવાર, 14 ડિસેમ્બર 2024 (13:06 IST)
Lal Krishna Advani News: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી ગઈ છે.  તેમણે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  અડવાણી 97 વર્ષના છે અને હાલ ન્યુરોલોજી વિભાગના સીનિયર કંસ્લ્ટેટ ડોક્ટર વિનિટ સૂરેની દેખરેખમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.   એવુ કહેવાય રહ્યુ છે કે છેલ્લા 2 અઠવાડિયાથી તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી. પણ ગઈકાલે રાત્રે તબીયત  વધુ ખરાબ થઈ ગઈ. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા.    લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટમાં પણ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
 
આ વર્ષે મળ્યો હતો ભારત રત્ન 
લાલ કૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ જ વર્ષે તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેથી જ તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
 
PM મોદીએ જઈને આપ્યા હતા અભિનંદન 
 
8 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના ઘરે તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીને ગુલદસ્તો આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'અડવાણીજીના નિવાસસ્થા જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments