Webdunia - Bharat's app for daily news and videos

Install App

જિમ કરતી વખતે ક્ષણભરમાં મોત: VIDEO

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (13:30 IST)
ઇંદોરના લસૂડિયા પોલીસ વિસ્તારની ગોલ્ડન જીમમાં ગુરૂવારે સવારે વર્કઆઉટ દરમિયાન એક હોટલ માલિકની મોત થઈ છે. વૃંદાવન હોટલના માલિક પ્રદિપ રઘુવંશી જે દરરોજની જેમ જિમ ગયા હતાં. ગુરૂવારે સવારે ગોલ્ડન નામનાં જીમમાં કસરત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક ચક્કર આવતા થડી પડ્યા હતા.ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
 
આ પહેલા પણ જિમમાં હાર્ટ એટેકના ઘણાં કેસ સામે આવેલા છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને પણ જિમમાં વર્ક આઉટના સમયે એટેક આવ્યો હતો. કેટલાક દિવસો હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો હતો પરંતુ અચાનક તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું પણ 46 વર્ષની ઉંમરે આ જ રીતે મોત નીપજ્યું હતું.
 
રઘુવંશીના મૃત્યુ બાદ નંદા નગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.કહેવાય છે કે તેઓ ભાજપના મહાસચિવ કૈલાશ વિજવર્ગીયના ખૂબ જ ખાસ માનવામાં આવતા હતા.રઘુવંશી ઈન્દોરની પ્રખ્યાત વૃંદાવન હોટલમાં ભાગીદાર પણ હતા.મૃતક રઘુવંશીને એક પુત્ર હતો. અને એક દીકરીએ ઘર ખાલી કરીને લસુડિયામાં પોતાનું ઘર બનાવ્યું હતું.પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.
- નીતિન છાપરવાલ, હેડ ટ્રેનર ગોલ્ડ જીમ
આ જ મામલે પોતાનો અભિપ્રાય આપતા ડોક્ટરે કહ્યું કે વર્કઆઉટ કરતા પહેલા મોટી ઉંમરની વ્યક્તિએ ડોક્ટરનું ચેકઅપ કરાવવું જરૂરી છે.સામાન્ય દિવસોમાં દરેક વ્યક્તિ જિમમાં જવાનું શરૂ કરી દે છે, જ્યાં દરેક વ્યક્તિને ફિટનેસ પછી સમસ્યા થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments