Webdunia - Bharat's app for daily news and videos

Install App

અગ્નિપથ મામલે રાહુલ ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવા જણાવ્યું

Webdunia
રવિવાર, 19 જૂન 2022 (15:36 IST)
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને રવિવારે પોતાનો જન્મદિવસ ન ઊજવવાની અપીલ કરી હતી.
 
રાહુલ ગાંધીએ એક સંદેશ જાહેર કરીને પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું છે કે દેશના યુવાનો પરેશાન છે અને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ યુવાનો સાથે ઊભા રહેવું જોઈએ.
 
ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવાર 52 વર્ષના થઈ જશે.
 
કૉંગ્રેસનેતા જયરામ રમેશે ટ્વિટર પર રાહુલ ગાંધીનો સંદેશ ટ્વીટ કર્યો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં માહોલ અત્યંત ચિંતાજનક છે
 
રાહુલ ગાંધીએ સેનામાં ભરતી માટે 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો તરફ ઇશારો કરતાં કહ્યું છે કે, "દેશના યુવાનો પરેશાન છે. આપણે હાલ તેમની અને તેમના પરિવારજનો સાથે ઊભા રહેવાનું છે."
 
"હું દેશના કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને પોતાના શુભચિંતકોને અપીલ કરું છું કે મારા જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરશો."

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments