Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દીના પ્રખ્યાત આલોચક અને સાહિત્યકાર નામવર સિંહનુ નિધન

Webdunia
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (17:01 IST)
. હિન્દીના વિખ્યાત આલોચક અને સાહિત્યાકર નામવર સિંહ(Namvar Singh) નું નિધન થઈ ગયુ. તેમણે દિલ્હીના એમ્સમાં અંતિમ શ્વાસ લીધા. નામવર સિંહ 93 વર્ષના હતા. સમાચાર એજંસી એએનઆઈ મુજબ નામવર સિંહે મંગળવારની રાત્રે 11.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે નામવર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા. જાન્યુઆરીમાં તેઓ અચાનક પોતાના રૂમમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં લઈ જવામાં આવ્યા. અહી તેમની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે નામવર સિંહ (Namvar Singh)નો જન્મ બનારસના જીયનપુર ગામમાં થયો હતો. હિન્દીમાં આલોચના વિદ્યાને નવી ઓલખ આપનારા નામવર સિંહે હિન્દી સાહિત્યમાં એમએ અને પીએચડીની ઉપાધિ કર્યા પછી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સેવા આપી. ત્યારબાદ તેઓ દિલ્હી આવી ગયા હતા. અહી તેમણે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)મા ભારતીય ભાષા કેન્દ્રીની સ્થાપના કરી અને હિન્દી સાહિત્યને વધુ ઊંચાઈ પર લઈ ગયા. 
 
નામવર સિંહ(Namvar Singh) ના વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે તેમના જન્મદિવસના ઉપલક્ષ્યમાં દિલ્હીના ઈંડિયા ઈંટરનેશનલ સેંટરમાં આયોજીત નામવર સંગ બૈઠકી કાર્યક્રમમાં લેખક વિશ્વનાથ ત્રિપાઠીએ તેમને અજ્ઞેય પછી હિન્દીના સૌથી મોટા સ્ટેટ્સમૈન કહ્યા હત. એ કાર્યક્રમમાં નામવર સિંહના નાના ભાઈ કાશીનાથ સિંહે કહ્યુ હતુ કે હિન્દી આલોચકોમાં પણ આવી લોકપ્રિયતા કોઈને નથી મળી જેવી નામવરજીને મળી. બીજી બાજુ લેખક ગોપેશ્વર સિંહે કહ્યુ હતુ કે નામવર સિંહે પોતાના સમયમાં દેશનું  સર્વોચ્ચ હિન્દી વિભાગ જેએનયૂમાં બનાવ્યુ. અમે અને અમારી પેઢીએ નામવરજીના વ્યક્તિત્વ પરથી ઘણુ બધુ શીખ્યુ છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments