Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP: હાથરસના સિકંદરરાઉમાં સત્સંગ દરમિયાન નાસભાગ, 116 લોકોના મોત, અનેક ઘાયલ

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2024 (18:49 IST)
Hathras Satsang Stampede:ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 100થી વધુ શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશના આગરા ઝોનના એડીજી કાર્યાલયે તેની પુષ્ટિ કરી છે. એડીજી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે જેને કારણે મૃતકોની સંખ્યા પછી ખબર પડશે.
 
અહીં ભોલેના ઉપદેશ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. સેંકડો લોકો આમાં પડ્યા અને અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા. બેભાન લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 20 શ્રદ્ધાળુઓના મૃતદેહ ઇટાહ મોકલવામાં આવ્યા છે. ઘણા શબને હાથરસ અને અલીગઢ લાવવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે અલીગઢ અને હાથરસ મોકલવામાં આવ્યા છે.
 
કહેવાય છે કે હાથરસના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો ઉપદેશનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ધાર્યા કરતા વધુ ભીડ ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા.

<

Very sad news coming from Hathras, Uttar Pradesh. At least 40 people died in a stampede that occurred during Shiv Katha.

While going outside, people were trying to leave the Hall from a small gate. To get out early, many people lost their lives. OM Shanti. pic.twitter.com/iBrnYSFR0z

— Shubham Sharma (@Shubham_fd) July 2, 2024 >
 
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પણ ઉત્તર પ્રદેશ સીએમઓએ એક નિવેદન જાહેર કરીને હાથરસમાં થયેલી દુર્ઘટનામાં મૃતકોના શોક સંતપ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

<

दुखद खबर!

यूपी के हाथरस में सत्संग के दौरान मची भगदड़ में 122की मौत, 150 घायल।

मृतकों में कई महिलाएं व बच्चे भी शामिल।
जो तस्वीरें आ रहीं है काफी भयावह है जो हुआ बहुत गलत हुआ...ऊपर वाले मरने वालों की आत्मा को शांति दे#hathrash #BigBreaking #हाथरस #hathras pic.twitter.com/kMFMCSvw1r

— PRAGATI (@pragatim140) July 2, 2024
 
નિવેદન અનુસાર, "મુખ્યમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા અને સ્થળ પર રાહતકાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્ત્વમાં ઘટનાના કારણોની તપાસના આદેશ આપ્યા છે.”

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments