Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ ઠાકરેએ કહ્યું- જ્યાં સુધી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હનુમાન ચાલીસા ચાલુ રહેશે

Webdunia
બુધવાર, 4 મે 2022 (15:39 IST)
MNS ચીફ રાજ ઠાકરેએ કહ્યું કે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ. હનુમાન ચાલીસા જ્યાં સુધી હટાવવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે અમારું આંદોલન ચાલુ રહેશે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે જ્યાં અજાન થયું હતું ત્યાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. આ સાથે તેમણે મહારાષ્ટ્ર નવ-નિર્માણ સેનાના કાર્યકર્તાઓને હેરાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. MNS ચીફે કહ્યું કે લાઉડસ્પીકર હટાવવા એ ધાર્મિક નહીં પણ સામાજિક મુદ્દો છે. 
 
રાજ ઠાકરેએ કહ્યું- ઘણી જગ્યાએ MNS કાર્યકર્તાઓને નોટિસ આપવામાં આવી છે અને તેઓ પકડાયા છે. મને એ નથી સમજાતું કે જે લોકો નિયમોનું પાલન નથી કરતા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તમે એવા લોકોને પકડી રહ્યા છો, જેઓ નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
અમને જાણવા મળ્યું છે કે મુંબઈની 90% મસ્જિદોમાં ઓછા અવાજ સાથે અઝાન કરવામાં આવી છે. અમે તેમન આભાર માનીએ છીએ, પરંતુ આજે પણ ઘણી મસ્જિદોમાં સવારે 5 વાગ્યા પહેલાં જ મોટા અવાજે અઝાન કરવામાં આવે છે. અમે મુંબઈ પોલીસ કમિશનરને પૂછવા માગીએ છીએ કે શું આ કાર્યવાહી માત્ર અમારી વિરુદ્ધ જ કરવામાં આવી છે કે નિયમો તોડનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
 
લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ કહ્યું- મને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વચ્ચે MNS ચીફ રાજ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા તેમના પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે અને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ સાથે રાજ ઠાકરેએ કહ્યું કે અમે સુપ્રીમના આદેશનું પાલન કરી રહ્યા છીએ.
 
હું માત્ર એટલું જ કહેવા માગું છું કે તમને લાઉડસ્પીકરની શી જરૂર છે, જો તમારે પ્રાર્થના કરવી હોય તો મસ્જિદમાં જઈને કરો. આ એક દિવસનું આંદોલન નથી, જ્યાં સુધી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી એ હંમેશાં માટે ચાલશે. જો સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું હોય તો સમગ્ર આદેશનું પાલન કરવું પડશે.
 
જો લાઉડસ્પીકર પર અઝાન ચાલુ રહેશે તો હનુમાન ચાલીસા પણ ચાલુ રહેશે. મારી બિલકુલ ઈચ્છા નથી કે રાજ્યમાં કોઈ રમખાણો થાય અને જ્યારે ઔરંગાબાદમાં પણ મારા ભાષણ દરમિયાન અઝાન સંભળાઈ ત્યારે મેં પોલીસને તેને રોકવા કહ્યું.
 
આપણા લોકોને કેમ પકડીને તાળાબંધી કરવામાં આવે છે? અમારા લોકો કેમ પકડાય છે, અમારી ધરપકડ કરીને તમને શું મળશે. મારે મારા તમામ હિંદુ ભાઈઓને કહેવું છે કે આ વિષય માત્ર એક દિવસનો નથી અને મારો પ્રશ્ન એ છે કે જે મસ્જિદોમાં સવારે 5 વાગ્યા પહેલાં અઝાન થઈ છે એના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. અમે જાણવા માંગીએ છીએ.
 
શરદ પવારની હાજરીમાં મહાવિકાસ અઘાડીની મહત્વની બેઠક ચાલી રહી છે.
લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં MNSના અઢીસોથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ પોલીસ એલર્ટ પર છે. દરમિયાન NCP સુપ્રીમો શરદ પવારની અધ્યક્ષતામાં મહાવિકાસ અઘાડીની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments