Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈની 60 માળની બિલ્ડિંગમાં લાગી આગ, ગભરાટમાં 19મા માળેથી કૂદી ગયો યુવક, મોત

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:46 IST)
દેશની આર્થિક રાજઘાની મુંબઈની એક 60 માળની બિલ્ડિંગમા શુક્રવારે આગ લાગી ગઈ. કર્રી રોડ પર આવેલ અવિઘ્ન પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ ઓલવવા અગ્નિ શમન કર્મચારીઓ પહોંચ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિનુ 19મા માળેથી કૂદવથી મોત થવાના સમાચાર છે.  એવુ કહેવાય છે કે આગ લાગવાથી ગભરાહટમાં આવેલ વ્યક્તિ 19મા માળેથી કૂદી ગયો, જેમા તેનુ મોત થઈ ગયુ. 30 વર્ષીય યુવકને તત્કાલ કેઈએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.  આ ઉપરાંત એક અન્ય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. 

<

Mumbai | One person dead in fire at Avighna Park apartment building on Curry Road pic.twitter.com/pMdV4tNP7h

— ANI (@ANI) October 22, 2021 >
 
બચાવ કર્મચારીઓ દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડે આપેલી માહિતી મુજબ આ આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. એક ડઝનથી વધુ ફાયર ટેન્ડરો, 5 જમ્બો ટેન્કરો તેને બુઝાવવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 19મા માળેથી કૂદીને મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ અરુણ તિવારી તરીકે થઈ છે. વાસ્તવમાં, બિલ્ડિંગના 19મા માળે આગ લાગી હતી અને આ ગભરાટમાં અરુણ તિવારી કૂદી પડ્યો.
 
મુંબઈની મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યની દેખરેખ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ બે ડઝન ફાયર અગ્નિશમન વાહનોને સેવા માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી, આગના કારણ વિશે કોઈ માહિતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments