Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi: PM મોદીના આવાસ ઉપર દેખાયું ડ્રોન, SPG અને પોલીસની દોડધામ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (10:09 IST)
Delhi NCR News  સોમવારે સવારે વડા પ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી, માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી.
 
મળતી માહિતી મુજબ, SPGએ સોમવારે સવારે લગભગ 5 વાગે દિલ્હી પોલીસને આ મામલાની જાણકારી આપી હતી. માહિતી મળતાની સાથે જ દિલ્હી વિસ્તારમાં વરિષ્ઠ અધિકારીઓ અને ભારે દળોએ ડ્રોનની શોધ શરૂ કરી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી ગટર મળી શકી ન હતી.
 
પોલીસ ડ્રોનને શોધી રહી છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન આવાસ અને તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોનમાં આવે છે.  સોમવારે સવારે, NDD કંટ્રોલ રૂમને PMના નિવાસસ્થાન પાસે એક અજાણી ઉડતી વસ્તુની માહિતી મળી હતી.
 
આજુબાજુના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ વસ્તુ મળી ન હતી. એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ PMના નિવાસસ્થાન નજીક આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.
 
નવી દિલ્હી જિલ્લાના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. હેમંત તિવારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનના આવાસની ઉપરના નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાડવાની માહિતી મળી હતી. SPGએ સવારે 5:30 વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો. હાલ તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments