Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP પર ભડક્યા કેજરીવાલ, હિટલર સાથે કરી PM મોદીની તુલના

Webdunia
શનિવાર, 23 માર્ચ 2019 (12:38 IST)
દિલ્હી પાસે આવેલ ગુરૂગ્રામમાં હોળીના દિવસે એક મુસ્લિમ પરિવારની બદમાશો દ્વારા મારપીટનો વીડિયો વાયરલ થયા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમની તુલના હિટલર સાથે કરી નાખી. 
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ, 'હિટલર પણ સત્તા માટે આ કરતો હતો.  હિટલર સાથે જોડાયેલા ગુંડા લોકોને મારતા હતા. તેમની હત્યા કરતા હતા અને પોલીસ જેમને માર્યો, તેમના વિરુદ્ધ કેસ કરતી હતી. મોદીજી પણ આ સત્તા માટે કરાવી રહ્યા છે, હિટલરના રસ્તે ચાલી રહ્યા છે. પણ મોદી સમર્થકોને દેખાતુ નથી કે આપણો ભારત ક્યા જઈ રહ્યો છે ?
 
ગુંડાએ ઘરમાં ઘુસીને મુસ્લિમ પરિવારને માર માર્યો 
 
ઉલ્લેખનીય છે કે ગુડગાવના ઘમસપુર ગામમાં એક મુસ્લિમ પરિવાર અને તેમને મળવા આવેલ સંબંધોને લાઠી અને દંડાથી મારવામાં આવ્યા. આરોપ છે કે હોળૉઈના દિવસની સાને 20-25 લોકો મુસ્લિમ પરિવારના ઘરમાં ઘુસી આવ્યા અને તેમના પર હુમલો કર્યો. ઘટના કેટલાક આરોપીઓ દ્વારા કથિત રૂપે પરિવારના યુવકો સાથે વિવાદ કર્યા પછી થયો. જે બહાર ક્રિકેટ રમી રહ્યા હતા.  આરોપીઓએ આ યુવકોને કહ્યુ કે તેઓ પાકિસ્તાન આય અને ત્યા રમે.  મોડી રાત્રે એક અપરાધીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ ઘટના લગભગ સાંજે 5 વાગ્યે મોહમ્મદ સાજિદના ઘરમાં બની.  સાઇદ મૂળ રૂપથી ઉત્તરપ્રદેશના નિવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી પત્ની અને પોતાના બાળકો સાથે અહી રહી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments