Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MeToo પર પહેલીવાર બોલ્યા શાહ, એમ જે અકબર વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ

Webdunia
શનિવાર, 13 ઑક્ટોબર 2018 (10:18 IST)
. કેન્દ્રીય મંત્રી અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર પર યૌન શોષણના આરોપોનો મામલો હવે વધુ વેગ પકડતો દેખાય રહ્યો છે. હવે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ કહેવુ છે કે વિદેશ રાજ્યમંત્રી પર લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ. તેમણે એક ચેનલ પર આપેલ ઈંટરવ્યુમાં આ વાત કહી. શાહના નિવેદનને એ માટે પણ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે કે મીટૂ આંદોલન પછી વિવાદમા ઘેરાયેલા એમ જે અકબર પર બીજેપીના પાર્ટી પ્રમુખ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. 
 
 
અમિત શાહે કહ્યું છે કે, એ જોવું પડશે કે સાચું છે કે ખોટું. એ વ્યક્તિની પોસ્ટની હકીકત તપાસવામાં આવશે, જેને આવા આરોપો લગાવ્યા છે. આવી જ રીતે મારા નામનો ઉપયોગ કરીને પણ લખવામાં આવી શકે છે. અકબર વિરૂદ્ધ તપાસ મામલે તેમણે કહ્યું હતું કે, જરૂર વિચારીશું. શાહે કહ્યું હતું કે, કોઈ પણ અસત્યાપિત આરોપો આરોપો લાગવવા માટેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોઈ શકે છે. જોકે એનાથી એ પણ સાબીત થાય છે કે, અકબર પર લગાવવામાં આવેલા આરોપો બાદ નકારાત્મક સંદેશ જાય છે અને પાર્ટી પણ તેને લઈને ગંભીર છે. પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે મી ટૂ અભિયાન હેઠળ અકબર પર અનેક મહિલા પત્રકારો સાથે વાંધાજનક વ્યવહાર કર્યો હતો. મહિલાઓનું કહેવુ છે કે વિવિધ સંસ્થાનોમાં સંપાદક રહેવા દરમિયાન તેમણે તેમનુ યૌન શોષણ કર્યુ હતુ. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે પાર્ટી પોતાના મંત્રી પર લાગેલા આરોપોને લઈને ગંભીર છે. 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ