Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra : મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બસમાં આગ, 26 મુસાફરોના મોત, અનેક ઘાયલ

Webdunia
શનિવાર, 1 જુલાઈ 2023 (08:41 IST)
maharashtra bus fire
Maharashtra Bus Fire - મહારાષ્ટ્રમાં મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે (સમૃદ્ધિ હાઇવે) પર એક ખાનગી બસમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે. બુલધાણાના એસપી સુનીલ કડાસણેએ આ દુર્ઘટનામાં મૃતાંકની પુષ્ટી કરી છે.
 
મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે બસમાં 33 મુસાફરો સવાર હતા. 25 મુસાફરોનાં મૃત્યુ ઊંઘમાં જ થઈ ગયાં, જ્યારે અન્ય આઠ મુસાફરો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. બુલઢાણાના એસપી એસપી કુડાસણે એ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યા મુજબ દુર્ઘટના અંદાજે મધરાતે દોઢ વાગ્યે સર્જાઈ હતી. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
 
 
બસના કાચ તોડીને બહાર આવ્યા કેટલાક મુસાફરો
દુર્ઘટનામાં જીવતા બચેલા એક મુસાફરે જણાવ્યું છે કે બસ પલટાઈ ગઈ હતી અને એ બાદ તેમાં આગ લાગી હતી.
 
મુસાફરે જણાવ્યું, "હું છત્રપતિ સંભાજીનગર ઊતરવાનો હતો. મારું સ્ટેશન એક કલાકમાં આવવાનું હતું, ત્યારે જ બસ પલટાઈ ગઈ. એટલામાં હું અને મારો મિત્ર પડી ગયા. અમે જોયું કે કેટલાક પેસેન્જરો કાચ તોડીને બહાર નીકળી રહ્યા છે. તો અમે પણ તેની પાછળ જતા રહ્યા. અમે બસ કૂદીને બહાર નીકળવામાં સફળ રહ્યા."
 
તેમણે ઉમેર્યું, "અમે બહાર નીકળ્યા એ બાદ પણ કેટલાક મુસાફરો અમારી પાછળ આવ્યા. બસ પલટાતાં જ આગ લાગી અને આગ ધીરેધીરે વધતી ગઈ. અમે મુસાફરોની ચીસો સાંભળી. પણ અમે કંઈ જ કરી શકીએ તેમ નહતા.’
 
પોલીસને મુસાફરો મારફતે દુર્ઘટનાની જાણકારી મળી હતી.
 
એસપી સુનિલ કડાસણેએ કહ્યું કે આ દુર્ઘટનામાં બચી ગયેલા કેટલાક મુસાફરો કાચ તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ નથી થઈ. તે અંગે તપાસ કરાઈ રહી છે.
 
પોલીસે કહ્યું છે કે ઘાયલ મુસાફરોની સારવાર બુલઢાણાની હૉસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટના બાદ લાગેલી આગના કારણે બસ આખી બળી ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments