Webdunia - Bharat's app for daily news and videos

Install App

વગર રેસના વિજેતા રહ્યા ભૂપેંદ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી પહેલીવારમાં જ વિધાયથી CMની યાત્રા

Webdunia
રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (17:36 IST)
પટેલ અહમદાબાદના (AMC)ની સ્ટેંડિંગ કમેટીના પૂર્વ અધ્યક્ષ છે છે તે અર્બન ડેવ્લપમેંટ ઑથોરિટીના ચેયરમેન પણ રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. આનંદીબેન પટેલ પણ ઘાટલોદિયા સીટથી ચૂંટણી લડી હતી. ભૂપેંદ્ર પટેલ 2017મા જ પહેલીવાર વિધાયક બન્યા અને પહેલા જ કાર્યકાળમાં મુખ્યમંત્રી બની રહ્યા છે. 
 
ભાજપા વિધાયક દળની બેઠકમાં કેંદ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગ પણ હાજર હતા. તોમરે રવિવારે સવારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલથી મળ્યા હતા. રૂપાણી (65) એ શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેણે આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે ડિસેમ્બર 2022 માં ચૂંટણી યોજાવાની છે.
 
રૂપાણી (65) કોરોના વાયરસ મહામારીના દરમિયાન ભાજપામાં શામેલ રાજ્યના પદ છોડતા ચોથા મુખ્યમંત્રી છે. તેણે ડિસેમ્બર 2017માં મુખ્યમંત્રીના રૂપમાં બીજી પારી માટે પદની શપથ લીધી હતી. તેણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી મુલાકાત અને તેણે રાજીનામા સોંપ્યા પછી પત્રકારથી કહ્યુ - મે ગુજરાતના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપી દીધુ છે. મને પાંચ વર્ષ સુધી રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યુ. મે રાજ્યના વિકાસમાં ફાળો આપ્યો. મારી પાર્ટી જે કહે, હું તે આગળ કરીશ. "આનંદીબેન પટેલના રાજીનામા બાદ રૂપાણી 7 ઓગસ્ટ, 2016 ના રોજ સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પણ પદ પર બન્યા રહ્યા.
 
અટકળો નામો પાછળ રહી ગયા
રૂપાણીના રાજીનામા બાદથી એવી અટકળો થઈ રહી હતી કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટદાર પ્રફુલ ખોડા પટેલ, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલામાંથી કોઈ પાર્ટી મુખ્યમંત્રી બનાવી શકે છે. ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફલદુના નામ અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments