Dharma Sangrah

શીત સત્રમાં રામ મંદિર પર બિલ નહી લાવે સરકાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની રાહ જોશે - અમિત શાહ

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (10:14 IST)
ભાજપા અધ્યક્ષ અમિત શાહે સંસદ શીતકાલીન સત્રમાં રામ મંદિર બનાવવા માટે બિલ કે તેના તરત જ બાદ અધ્યાદેશ લાવવાની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. શાહે કહ્યુ કે મંદિર મામલે કોઈ નિર્ણય લેતા પહેલા પાર્ટી અને સરકાર જાન્યુઆરીમાં સુપ્રીમકોર્ટમાં થનારી સુનાવણીની રાહ જોશે. 
 
એક ચેનલને આપેલ ઈંટરવ્યુમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે પાર્ટી અને સરકાર સુપ્રીમ કોર્ટૅની સુનાવણીની રાહ જોવા માંગે છે. તેમણે આશા બતાવી કે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અને બધુ ઠીક થઈ જશે. આ દરમિયાન શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. 
 
બોલ્યા.. અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારનો ઉકેલાય ગયો હોત 
 
તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો નવ વર્ષથી વિચારાધીન છે. કોંગ્રેસની જેમ ભાજપાએ ટોચની કોર્ટમાં ક્યારેય નથી કહ્યુ કે કેસને ટાળવામાં આવે. શાહે કહ્યુ કે અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારયન્મો ઉકેલાય ગયો હોત. 
 
 
રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે?
 
ભાજપ પાસેથી રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમના જન્મ પછી પહેલી વાર અયોધ્યા આવ્યા છે તેમને આવવા દો... ઉલ્લેખનીય છે કે વિહિપ અને સંત સમાજ શીતકાલીન સત્રમાં રામ મંદિર માટે કાયદો બનાવવા કે ત્યારબાદ અધ્યાદેશ લાવીને મંદિર નિર્માણનો રસ્તો સરળ કરવાની માંગ કરી રહ્યા છે.  પહેલા એવુ લાગતુ હતુ કે સરકાર શીત સત્રમાં આ સંદર્ભમાં બિલ રજુ કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments