Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agnipath Scheme Protest Live Updates:બિહાર- UP થી દિલ્હી-NCR પહોંચી 'અગ્નિપથ'ની આગ, યમુના એક્સપ્રેસવે પર તોડફોડ અને આગચંપી, ગુરૂગ્રામમાં ધારા 144

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (16:00 IST)
કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજના (Agnipath Scheme) વિરુદ્ધ ત્રીજા દિવસે પણ બિહાર, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. પ્રદર્શનકારી અગ્નિપથ યોજનામાં બદલાવ કર્યા બાદ પણ ભરતીની જૂની પદ્ધતિને લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે.  આ માંગ સાથે યૂપી-બિહારમાં સવારથી જ યુવાઓ આજે ત્રીજા દિવસે પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. 
 
આંદોલનકારી યુવાનો બિહારના બક્સર, સમસ્તીપુર, સુપૌલ, લખીસરાય અને મુંગેર અને ઉત્તર પ્રદેશના બલિયા, બનારસ, ચંદૌલીમાં હંગામો મચાવી રહ્યા છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ ટ્રેનો સળગાવી છે તો ઘણી જગ્યાએ રેલ્વે સ્ટેશનોમાં તોડફોડ કરી છે. ઘણી જગ્યાએ આ લોકો રેલવે ટ્રેક પર બેસીને પ્રદર્શન કરી રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લગાવી દીધી છે. લખીસરાયમાં પણ આગચંપીનાં સમાચાર છે.
 
બીજી બાજુ  સંપર્ક એક્સપ્રેસમાં આગ લગાવવાના સમાચાર છે. ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. બદમાશોએ પહેલા ટ્રેનમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી અને પછી તેને આગ ચાંપી દીધી. ઉત્તર પ્રદેશના બલિયામાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે  કેન્દ્રએ ગુરુવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે 'અગ્નિપથ' સૈન્ય ભરતી યોજના માટે વય મર્યાદા 21 થી વધારીને 23 કરી. સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- ભારે હોબાળા વચ્ચે, કેન્દ્રીય મંત્રીઓએ PM મોદીને 'અગ્નિપથ' યોજનામાં ફેરફાર માટે 'Thank You' કહ્યું
રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે કેન્દ્રએ ગુરુવારે 'અગ્નિપથ' સૈન્ય ભરતી યોજના માટે વય મર્યાદા 21 થી વધારીને 23 કરી. સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
<

#WATCH | I feel that the youth does not know all the proper information on the #AgnipathScheme. Once they get to know about the scheme, they will have faith that this scheme is not only for the youth but is also beneficial to all: Army chief General Manoj Pande pic.twitter.com/CbdYu0A9df

— ANI (@ANI) June 17, 2022 >

\

Protest Over Agnipath Scheme: મધેપુરા ભાજપ કાર્યાલયમાં તોડફોડ અને આગચંપી
અગ્નિપથ યોજનાથી નારાજ યુવકોએ બિહારના મધેપુરા જિલ્લામાં બીજેપી કાર્યાલયમાં તોડફોડ અને આગ ચાંપી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનના લોકો મૂક પ્રેક્ષક બની રહ્યા હતા. 500 થી વધુ યુવાનોનું ટોળું અચાનક આવી પહોંચ્યું હતું અને ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હતો. જો કે ત્યાં પોલીસ પહેલેથી જ તૈનાત હતી, પરંતુ પોલીસ ભીડ સામે ટકી શકી ન હતી.
 
પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજ પર પ્રદર્શન
પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજ પર પણ અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શનો થયા છે. જો કે, ત્યાં પોલીસે તરત જ પ્રદર્શનકારીઓને પુલ પરથી હટાવીને રસ્તો સાફ કરાવ્યો હતો.

<

#WATCH | Bihar: Trains burnt and damaged, cycles, benches, bikes, and stalls thrown on railway tracks amid the ongoing agitation against the recently announced #AgnipathRecruitmentScheme

(Visuals from Danapur Railway Station, Patna district) pic.twitter.com/JBOnCihIoZ

— ANI (@ANI) June 17, 2022 >
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments