Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 કરોડ લોકોને નવેમ્બર સુધી મળશે મફત અનાજ, નવા નિયમો મુજબ ભરવુ પડશે નેશનલ ફુડ સિક્યોરિટી ફોર્મ

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (12:46 IST)
સરકારે  આ દરમિયાન તેમણે ગરીબ લોકો માટે મોટી જાહેરાત કરી અને કહ્યું કે દેશના 80 કરોડ ગરીબ લોકોને હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર સુધી મફત અનાજ આપવામાં આવશે.  દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કર્યા બાદ હવે ગરીબ લોકો પાસે નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ ફોર્મ ભરાવવાનું ચાલુ કરી દેવામાં આવતા સરકાર તરફથી મફત અનાજ મળશે કે નહિ તે અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. 80 કરોડ લોકોને મળે તો દેશમાં 80 કરોડ લોકો બીપીએલ કેટેગરી હેઠળ છે કે કેમ તેવો પણ એક સવાલ ઊઠી રહ્યો છે. 
 
કેન્દ્ર સરકારે 20 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી તે પછી ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ ફ્રોર્મ ભરાવવામાં આવી રહ્યા છે કારણ કે ગરીબી રેખા હેઠળના લોકોની નવી યાદી તૈયાર કરવાનો ઈરાદો છે , આ ફોર્મ ભરાવવા માટે લાગતી લાઈનમાં કોરોનાકાળમાં જરૂરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવતું નથી,  નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ કરવામાં આવતી જોગવાઈ મુજબ એક લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો મફત અનાજ મેળવવાના પાત્ર છે.  બીજી બાજુ  અનાજ માટે નક્કી કરવામાં આવેલા નિયમો પ્રમાણેજેમના ઘરે પંખો  પણ ન હૌય તેવા લોકોને જ મફતમાં અનાજ મળી શકે તેવી વ્યવસ્થા છે, તેમ જ જેમના ઘર પાકા ધાબાવાળા ન હોય તેમને જ મફત અનાજ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે . 
 
રેશનિંગની દુકાનના માલિકોના એશોસિએશન પ્રમ્યુખ પ્રહલાદ મોદીનું કહેવું છે કેં ઉપર જણાવેલા નિયમો  પ્રમાણે જ મફત અનાજ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે તો  80 થી 90 ટકા લોકો બીપીએલની કેટેગરીમાંથી બહાર થઈ જાય. તેવા સંજોગોમાં શહેરી વિસ્તારમાં 50 ટકા અને ગ્રામીણ વિસ્તારના 65 ટકા લોકોને ગરીબની કેટેગરીમાં ગણી લૈવામાં આવે તેવી શક્યતા છે . ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 ની હેઠળ કરવામાં આવેલી ગણતરી મુજબ ગુજરાતમાં 1.18 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરીટી હેઠળ મફત અનાજ મેળવવાને પાત્ર બનતી સંખ્યા હવે ઘટીને આ વર્ષે 76 લાખની થઈ ગઈ છે

સંબંધિત સમાચાર

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments