Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips for men - લવ લાઇફ સુખી કરવા આ આહાર છે જરૂરી

Webdunia
મંગળવાર, 23 મે 2023 (09:06 IST)
increse stamina- ભાગદૌડવાળી જીવનશૈલીને કારણે લોકો પોતાના ખાનપાન પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા, પરિણામે તેઓ અનેક બીમારીઓનો શિકાર બને છે. આવામાં તેમની શારીરિક ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. શારીરિકના મામલામાં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે. વિટામિન ઈની ઉણપને કારણે પણ શારીરિક ક્ષમતા ઓછી થવાની સંભાવના વધી જાય છે. શારીરિક ક્ષમતા વધારવા માટે યોગ્ય આહારની આવશ્યકતા ઘણી છે. જાણીએ, વ્યક્તિમાં શારીરિક ક્ષમતા વધારનારા આહારો વિષે...
 
- શારીરિક ક્ષમતા વધારવા માટે મધ અને પલાળેલી બદામ કે કિશમિશને દૂધમાં મિક્સ કરીને દરરોજ પીઓ, અચૂક ફાયદો થશે.
 
- લીલા શાકભાજી અને છોતરાંવાળી દાળનું રોટલી સાથે સેવન કરો. રોટલી માખણ કે મલાઈની સાથે લો.
 
- ભોજનમાં સલાડનો ભરપૂર ઉપયોગ કરો અને ડુંગળી, લસણ તથા આદુંનું સંતુલિત સેવન કરો.
 
- શારીરિક પાવરને વધારવા માટે કે યથાવત રાખવા માટે પ્રાકૃતિક ભોજનનું સેવન કરવું જોઇએ. જેમ કે અનાજ, તાજા શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વગરના ચોખા, તાજા ફળો, સૂકા મેવા, ફણગાવેલા અનાજ, દૂધ, ઘી, ઈંડા તથા સી-ફૂડ.
 
- શાકાહારી ભોજન લેવાથી શારીરિક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. તેમાં તમે દાળ, અનાજ, દૂધમાંથી બનેલા પદાર્થો લઇ શકો છો.
 
- તમામ સંશોધનો પરથી સાબિત થઇ ચૂક્યું છે કે માંસાહારી વ્યક્તિની સરખામણીએ શાકાહારી વ્યક્તિ વધુ પ્રભાવી રૂપે શારીરિક સબધ કરવા સક્ષમ હોય છે.
 
-શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન બહુ મદદગાર સાબિત થાય છે. માટે તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો લેવા જોઇએ જેનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે.
 
- વધુ માત્રામાં પ્રોટીન લેવા માટે ઈંડા અને માછલીનું સેવન કરી શકો છો.
 
- ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પિઝા, બર્ગરનું સેવન જો નિયમિત કરવામાં આવે તો સેક્સ ઊર્જામાં ઉણપ સર્જાય છે. આવામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું.
 
- શારીરિક ક્ષમતા વધારવા પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. માટે તળેલો, મસાલેદાર અને ચરબીયુક્ત આહાર લેવાનું ટાળો. આનાથી તમારી લવ લાઇફ તો સ્વસ્થ બનશે જ સાથે તમે વધારાનો કોલેસ્ટ્રોલ વધતો પણ રોકી શકશો જે અનેક બીમારીઓનું મૂળ છે.
 
- ડાયટિંગ કરવું, ઉપવાસ રાખવા વગેરેને કારણે તમે પૂરતી કેલરી લઇ શકતા નથી આવામાં તમારામાં નબળાઇ આવી જાય છે. જેનાથી શારીરિક સબધ દરમિયાન તમારામાં ઊર્જાની ઉણપ સર્જાવા લાગે છે અને તમે બીમાર પડી શકો છો. આવામાં દિવસમાં 2000 કેલરીયુક્ત ભોજન અચૂક લો. આનાથી તમે સ્વસ્થ પણ રહેશો

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ