Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Story Gujarati- રાજકુમારી અને ચાંદનો રમકડો

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (16:31 IST)
કોઈ રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેમની એક નાની દીકરી હતી. તે દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલીને આકાશમાં નિકળેતા ચાંદને જોતી હતી. એક દિવસ તેણે રાજાને કહ્યું, એટલે કે તેના પિતાએ 
કહ્યું કે મારે ચાંદ જોઈએ. મને ચાંદ લઈ આપો. હુ તેની સાથે રમવા માંગુ છું.
 રાજકુમારીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થયા અને તેને સમજાવવાના પ્રયત્ન કર્યો કે આ શક્ય નથી, પરંતુ રાજકુમારીએ ચાંદ મેળવવાની જીદ પકડી લીધી હતી. ચાંદ ન મળવાથી તે કાંઈ ખાતી નથી અને પીતી પણ નથી. બસ, આખી રાત બારીમાંથી ચાંદ તરફ જ જોતી રહેતી. આ કારણે ધીમે-ધીમે રાજકુમારીની તબીયત કથળી અને તે ખૂબ બીમાર થઈ ગઈ. 
 
રાજકુમારીના સ્થિતિ રાજાથી ન જોવાઈ અને તેણે તેમના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચાંદ લાવવાનો આદેશ આપ્યો. રાજાનો આ આદેશ સાંભળી મંત્રી અને દરબારી અચરજમાં પડી ગયા. તેણે 
 
રાજાથી કીધું "મહારાજ  ચાંદ લાવવો શક્ય નથી આ અમે પણ જાણીએ છે અને તમે પણ. ત્યારે અમે રાજકુમારી માટે ચાંદ કેવી રીતે લાવી શકીએ"
મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળીને રાજા તેમના રાજ્યમાં જાહેર કરાવાયો કે રાજકુમારી માટે જે પણ ચાંદ લાવશે તેને ખૂબ ધન ઈનામમાં અપાશે. જ્યારે રાજાના આ જાહેરાતના વિશે એક વ્યપાઅરીને 
 
ખબર પડી તો તેનાથી રાજાનો દુખ જોવાયા નહી. તે તરત રાજાથી મળવા પહોંચ્યો.
વ્યાપારીએ રાજાથી કીધું "મહારાજ હું રાજકુમારીને ચાંદ લઈ આપીશ પણ તેનાથી પહેલા જાણવુ પડશે કે રાજકુમારીને કેટલુ મોટુ ચાંદ જોઈએ"
આ બોલીને વ્યાપારી રાજકુમારીથી મળવાની ઈચ્છા જણાવી. રાજા પણ વ્યાપારીની વાત માનીને તેને રાજકુમારી પાસે લઈ જાય છે. રાજકુમારી પાસે પહોચીને વ્યાપારી રાજકુમારીથી પૂછે છે ચાંદ કેટલુ6 મોટું છે.
વ્યાપારીના સવાલનો જવાબ આપતા રાજકુમારી કહે છે "ચાંદ મારા અંગૂઠાના નખના આકારનો છે"   કારણ કે જ્યારે પણ હુ ચાંદની સામે મારો અંગૂઠો રાખુ છુ તે મને જોવાતા નથી. ત્યારબાદ વ્યાપારી પૂછે છે કે 
ચાંદ કેટલો ઉંચો છે તો રાજકુમારી કહે છે " આ ઝાડથી થોડો ઉંચો છે કારણકે તે હમેશા મહલની બહાર લાગેલ ઝાડની ઉપર જ નજર આવે છે."
અંતમાં વ્યાપારી પૂછે છે સારું રાજકુમારી ચાંદ કેવુ જોવાય છે. ત્યારે રાજકુમારી જવાબ આપે છે ચાંદ ચમકીલો છે અને ચાંદીની રીતે સફેદ જોવાય છે. 
રાજકુમારીની આ બધી વાત સાંભળી વ્યાપારી હ્ંસતા ઉભો થાય છે અને રાજકુમારીથી કહે છે કે કાલે હું ઝાડ પર ચઢીને તે ચાંદને તોડી લાવીશ.
આટલું કહીને વ્યાપારી રાજાની પાસે જાય છે અને તેમની યોજના તેણે જણાવે છે. રાજાને વ્યાપારીની યોજના પસંદ આવે છે. આવતા દિવસે વ્યાપારી એક ચાંદીનો નાનો ચાંદ બનાવીને રાજકુમારી માટે લઈ આવે 
છે. રાજકુમારી તે ચાંદીના ચાંદને જોઈ ખૂબ ખુશ હોય છે અને તેની સાથે રમવા લાગે છે.
રાજકુમારીને ખુશ જોઈ રાજા પણ પ્રસન્ન હોય છે પણ હવે તેને આ વાતની ચિંતા હોય છે કે રાત્રે જ્યારે રાજકુમારી આકાશમાં ચાંદને જોશે તો તેને સમજ આવશે કે આ તે ચાંદ નથી. આ વાતને રાજા વ્યાપારીની 
સામે રાખે છે. 
રાજાની વાત સાંભળી વ્યાપારી કહે છે કે હુ તમારી આ પરેશાનીને પણ દૂર કરી નાખુ છું. વ્યાપારી રાજકુમારી પાસે જાય છે અને તેનાથી ખૂબ પ્યારથી પૂછે છે રાજકુમારી તમે આ જણાવો કે જ્યારે કોઈનો દાંત તૂટી 
જાય છે તો શું થાય છે?
વ્યાપારીના આ સવાલનો રાજકુમારી જવાબ આપે છે કે તેનો નવો દાંત નિકળી આવે છે. ત્યારે હંસીને વ્યાપારી પૂછે છે તો સારું આ જણાવો કે શું તમને ખબર છે જ્યારે કોઈ ચાંદ તોડી લાવે છે તો શું થાય છે? તેના પર રાજકુમારી જવાબ આપે છે "હા ત્યાં બીજો ચાંદ ઉગી આવે છે."
રાજકુમારીનો આ જવાબ સાંભળીને વ્યાપારી કહે છે અરે વાહ! રાજકુમારીને તો બધી ખબર છે. આટલુ કહીને વ્યાપારી મહેલની બારીઓ ખોલી નાખે છે અને કહે છે કે આવો આજે અમે નવા ઉગેલા ચાંચ જોઈએ છે. 
આકાશમાં ચાંદને જોઈ રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચાંદ છે તે    નવા ચાંદથી વધારે સુંદર છે અને તેમના ચાંદની સાથે રમવા લાગે છે. આ બધુ જોઈ રાજા ખૂબ ખુશ હોય છે અને વ્યાપારીને ખૂબ ધન ઈનામમાં આપે છે. 
 
શીખામણ- નાની રાજકુમારી અને ચંદ્રના વાર્તાથી શીખ મળે છે કે ક્યારે ક્યારે મોટી મુશ્કેલીને ઉકેલ કરવા માટે નાનકડો ઉપાય પણ ઘણુ હોય છે. 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments