Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંડળી ન મળે તો આ ઉપાયોથી દૂર થશે દોષ

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:36 IST)
જ્યોતિષ શબ્દ જ્યોતિ અર્થાત પ્રકાશ શબ્દથી બન્યો છે. અંધારાને પ્રકાશ જ દૂર કરે છે. આપણા જીવનમાં આપણુ ભવિષ્ય અજ્ઞેય છે. જેને વિશે આપણે અજ્ઞાની છીએ.  જ્યોતિષ વેદ અડગ છે. જે આપણને આપણા ભવિષ્ય રૂપી અંધકારને દૂર કરીને આપણને સુરક્ષિત માર્ગ તરફ આગળ વધારે છે. 
 
એક જ્યોતિષવિદ્દ માટે કુંડળી મિલાન જવાબદારીનું કાર્ય છે. તેના પર બે જીવોના ભવિષ્યની જવાબદારી હોય છે. તેમા કોઈ પ્રકારે કોઈ પણ પક્ષથી પ્રભાવિત થઈને નિર્ણય કરવો ઘોર અપરાધ છે. 
 
વેદમુજબ જો કુંડળીમાં ગ્રહ મિલાન યોગ્ય ન બનતો હોય તો સંબંધ સ્થાપિત કરવાની પરામર્શ યોગ્ય નથી. હા જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો કાલસર્પ દોષ હોય, પાપ કર્તરી યોગ હોય તો ક્યારેય પણ સંબંધ સ્થાપિત કરવા અથવા મિલાન પહેલા તેમનો ઉપાય કરી લેવો જોઈએ. 
 
માંગલિક કુંડળીઓ માટે અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે સાંડને ગોળ નાખવો. મસૂરની દાળ મંદિરમાં આપવી અથવા જળ વહેડાવવુ. સૌથી ઉત્તમ હનુમાનજીને દર મંગળવારે કેસરી સિંદૂર (ચમેલી તેલમાં મિક્સ કરીને) બેસનના લાડૂ, પાન અને પાણીવાળુ નારિયળ ચઢાવવુ.  હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
 
ગુરૂ મકર રાશિમાં નીચ હોય અથવા સપ્તમ ભાવમાં મકર રાશિને ગુરૂ દેખાતો હોય તો દર રવિવારે કેળાના ઝાડને હળદર યુક્ત દૂધ ચઢાવો. ઘીના લોટનો દીવો પ્રગટાવો. દર રવિવારે ગાયને પીળી ચણાની દાળ, કેળા ખવડાવો.  બ્રાહ્મણને પીળા વસ્ત્રો, જનેઉ, બેસનના લાડુ દાન કરો. 
 
કાલસર્પ યોગની સ્થિતિમાં 18 નારિયળ, 18 જુદા જુદા મંદિરોમાં રવિવારે એક એક કરીને કોઈ પણ મૂર્તિ આગળ મુકો. 
 
છોકરીઓ સોમવારનુ વ્રત કરે. દેવી કાત્યાયનીની પૂજા કરે. શંકર પાર્વતીની પૂજા કરે અને સોમવારનું વ્રત કરે.  

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments