Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાવધાન ! બેવફા હોય છે આ 4 રાશિયોના લોકો

સાવધાન ! બેવફા હોય છે આ 4 રાશિયોના લોકો
, શનિવાર, 31 માર્ચ 2018 (15:32 IST)
કેટલાક લોકો ભલે કેટલા પણ ઈમાનદાર અને દેખાવમાં સજ્જન વ્યક્તિ હોય પણ પ્રેમના મામલે ખૂબ બેવફા હોય છે.  એવુ કહેવાય છે કે વિશ્વાસ પ્રેમની પ્રથમ કસોટી છે.  જો કોઈ સંબંધમાંવિશ્વાસ નથી તો તે વધુ દિવસ સુધી ટકતો નથી.  જ્યોતિષ મુજબ વ્યક્તિનો વ્યવ્હાર, પ્રેમ સંબંધ વગેરે તેની રાશિ પર નિર્ભર કરે છે. તમારી મિત્ર તમારા પર કેટલો વિશ્વાસ કરે છે અને તમારી સાથે તેનો સંબંધ કેટલો આગળ સુધી જશે એ વાતનો અંદાજ તમે તેની રાશિને જાણીને લગાવી શકો છો. 
 
જાણો એ 4 રાશિયો વિશે જેના જાતક હોય છે બેવફા... 
webdunia
1. મિથુન રાશિ - એવુ કહેવાય છેકે આ રાશિના લોકો કોઈની સાથે પણ ત્વરિત દિલ લગાવી બેસે છે. આ રાશિના લોકો જલ્દી મિત્રતા કરવા અને એક જ સમયમાં અનેક લોકો સાથે પ્રેમ કરનારા હોય છે. પણ આ રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાના પાર્ટનરનો વિશ્વાસ જલ્દી તોડી નાખે છે. 
 




webdunia

2 કન્યા રાશિ - કન્યા રાશિના લોકો પોતાનો સંબંધ ગુસ્સામાં તોડે છે.   કન્યા રાશિના લોકો પોતાના સંબંધને લઈને ખૂબ જ ઈમાનદાર હોય છે અને પોતાના પ્રેમ પ્રત્યે સમર્પિત હોય છે.  પણ જો તેમને કોઈ ઠેસ પહોંચાડે તો તે સંબંધ તોડવામાં જરા પણ મોડુ કરતા નથી.  આ રાશિના લોક્કો કોઈને દગો આપતા નથી પણ કોઈ તેમને દગો આપે તે તેમને પસંદ નથી. 
 



webdunia
3. ધનુ રાશિ - ધનુ રાશિના લોકોને ફ્રીડમ ખૂબ ગમે છે.  તેઓ પોતાના પ્રેમ કરતા વધુ મહત્વ ખુદને આપે છે.  જો કોઈ તેમના પર રોક લગાવે તો તેઓ બ્રેકઅપ કરવાથી પણ ગભરાતા નથી.  એવુ કહેવાય છે કે ધનુ રાશિના લોકો સ્વભાવથી બેવફા નથી હોતા પણ પોતાની પર લાગી રહેલી રોકથી પીછો છોડાવવા માંગે છે. તેથી તેઓ સંબંધ તોડે છે. 
 





webdunia
4. મીન રાશિ - આ રાશિના લોકોને પોતાના પાર્ટનર તરફથી વધુ પડતી આશા હોય છે. જો તેમની આશા પૂરી ન થાય તો તેઓ પોતાના મિત્ર સાથે સંબંધ તોડવામાં જરાપણ મોડુ નથી કરતા.  તેમને સંબંધ તોડવા જરા પણ ખરાબ નથી લાગતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનું રાશિફળ - જાણો આજે હનુમાન જયંતિ પર કેવો રહેશે આપનો દિવસ (31/03/2018)