Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંડળીમાં વિષ યોગ હોય છે અતિ અનિષ્ટકારી, જાણો કારણ અને નિવારણ

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (16:56 IST)
દરેક જાતકની કુંડળીમાં આવનારા યોગ-સંયોગથી તેમના જીવનમાં આવનારા કાર્યો, સફળતાઓ અને કષ્ટોનું નિર્માણ અને નિવારણ થાય છે.  જો યોગ્ય સમય પર કુંડળીના અશુભ યોગને ઓળખ કરી યોગ્ય ઉપાય કરવામાં આવે તો આ દોષોથી થનારી પીડાને કંઈક ઓછી પણ કરી શકાય છે. આવા જ અનિષ્ટકારી યોગોમાંથી એક છે વિષ-યોગ. 
 
કોઈપણ જાતકની કુંડળીમાં વિષ-યોગનુ નિર્માણ શનિ અને ચન્દ્રમાંના કારણે બને છે. શનિ અને ચન્દ્રની જ્યારે યુતિ (બે કારકોનુ જોડાયેલુ હોવુ) હોય છે.  ત્યારે વિષ યોગનુ નિર્માણ થાય છે. કુંડળીમં વિષ-યોગ ઉત્પન્ન થવાને કારણે લગ્નમાં જો ચન્દ્રમાં છે અને ચન્દ્રમાં પર શનિની 3, 7 અથવા 10માં ઘર થવા પર પણ યોગનુ નિર્માણ થાય છે. 
 
કર્ક રાશિમાં શનિ પુષ્ય નક્ષત્રમાં હોય અને ચન્દ્રમાં મકર રાશિમાં શ્રવણ નક્ષત્રનો રહે અથવા ચન્દ્ર અને શનિ વિપરિત સ્થિતિમાં હોય હોય અને બંને પોતપોતાના સ્થાનથી એક બીજાને જોઈ રહ્યા હોય તો ત્યારે પણ વિષ-યોગની સ્થિતિ બની જાય છે. 
 
જો કુંડળીમાં આઠમા સ્થાન પર રાહુ  રહેલો છે અને શનિ (મેષ કર્ક સિંહ વૃશ્ચિક)લગ્નમાં હોય ત્યારે પણ વિષ-યોગની સ્થિતિ બની જાય છે. 
 
મૃત્યુ તુલ્ય કષ્ટ આપે છે વિષ યોગ - આ યોગ મૃત્યુ, ભય, દુખ, અપમાન, રોગ, દરિદ્રતા, દાસતા, બદનામી, વિપત્તિ, આળસ અને કર્જ જેવા અશુભ યોગ ઉત્પન્ન કરે છે અને આ યોગથી જાતક નકારાત્મક વિચારોથી ધેરાવવા લાગે છે અને તેના બનેલા કામ પણ બગડી જાય છે. 
 
કેવી રીતે થાય છે વિષ યોગનુ નિવારણ - શનિ અને ચંદ્રમા6 હોવાથી આ યોગથી ગ્રસિત જાતકને શિવજી અને હનુમાનજીની પૂજાથી વિશેષ લાભ મળે છે. 
 
વિષ યોગની પીડા ઓછી કરવા માટે ૐ નમ: શિવાયનો મંત્ર રોજ સવાર-સાંજ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. 
શિવ ભવવાનના મહા મૃત્યુંજય મંત્રનો જાપ રોજ (5માળા જાપ)કરવથી પણ પીડા ઓછી થઈ જાય છે. 
હનુમાનજીની પૂજા કરવા, હનુમાન ચાલીસા અને સંકટમોચનન હનુમાનજીની આરાધનાથી પણ આ યોગથી થનારી પીડા શાંત થાય છે. 
આ જ રીતે શનિવારે શનિદેવનો સાંજના સમયે તેલાભિષેક કરવાથી પણ પીડા ઓછી થઈ જાય છે. 

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments