Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષશાસ્ત્ર : વર્ષગાંઠની શુભેચ્છા રાત્રે 12વાગ્યે આપવી શુભ નથી

Webdunia
તમારા મિત્ર અને બહેનપણીઓની વર્ષગાંઠ છે. તમે એ બદલ તેમને શુભેચ્છા પાઠવો છો, આ શુભેચ્છા આપતી વખતે થોડો વિચાર કરો અને રાતે 12 વાગે શુભેચ્છા આપવાનુ ટાળો. રાત્રે 12 વાગે શુભેચ્છા આપવી યોગ્ય નથી. આ શુભેચ્છા તેમને ફળદાયી નીવડતી નથી. તેને કારણે તમે આપેલી શુભેચ્છા નિર્રથક સાબિત થાય છે. હવે તમે કહેશો કે શુભેચ્છા ક્યારે આપવી... તો જરૂર વાંચો.. 

તમારા જીવનમાં જન્મદિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. તેથી આ દિવસે તમે ખૂબ ખુશ રહો છો. વર્ષગાંઠ ઉજવો છો. કેટલાક લોકો પોતાની વર્ષગાંઠ ગરીબ કુટુંબ કે ગરીબ બાળકો સાથે ઉજવે છે તો કેટલાક લોકો વર્ષગાંઠના દિવસે ખાદ્ય પદાર્થ કે ભેટ સોગાદો વહેંચે છે. કેટલાક લોકો સમાજસેવાનુ કામ કરે છે. રક્તદાન કરે છે. તેથી વર્ષગાંઠની શુભેચ્છા આપનારી વ્યક્તિની ભાવનાત્મક રૂપે આપણી સાથે જોડાયેલી હોય છે.

આજકાલ તો સગાસંબંધી હોય કે મિત્રો દરેકને આપણે વર્ષગાંઠની શુભેચ્છા આપીએ છીએ. પણ જલ્દી શુભેચ્છા આપવાના ચક્કરમાં રાત્રે 12 વાગ્યે શુભેચ્છા આપવાની રીત વઘતી જાય છે, વિશેષ કરીને યુવાઓમાં આ વધુ જોવા મળે છે.

ભારતીય શાસ્ત્ર અને ધર્મ સમજશો તો ધ્યાનમાં આવશે કે આ રીત ખૂબ જ ખોટી અને અયોગ્ય છે. રાત્રે 12 વાગે વાતાવરણમાં રજ અને તમના ગુણો પ્રબળ હોય છે. આ સમયે નકારાત્મક શક્તિ વધુ પ્રભાવશાળી હોય છે. તેને કારણે રાત્રે 12 વાગે આપેલી શુભેચ્છા લાભદાયક નથી હોતી.

હિન્દુ સંસ્કૃતિમુજબ દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સવારનો સમય જ ઋષિ મુનીઓના સાધનાનો હોય છે. આ વખતે વાતાવરણ સાત્વિક વધુ હોય છે. સૂર્યોદય સમયે આપેલી શુભેચ્છા વધુ ફળદાયક હોય છે. તેથી વર્ષગાંઠની શુભેચ્છા રાત્રે 12 વાગતા ન આપતા સવારે આપવી યોગ્ય કહેવાય છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments