rashifal-2026

Kitchen Tips - બળેલા વાસણોને ફરીથી ચમકાવવાના 5 સહેલી ટ્રિક્સ

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (09:20 IST)
કિચનની શોભા વધારે છે ત્યા મુકેલા ચમકતા વાસણ. પણ અનેકવાર રસોઈ બનાવતી વખતે વાસણ એટલા બળી જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે.  જો કલાકો સુધી પણ તેને સાફ કરતા રહો તો પણ તે પહેલા જેવા ચમકતા નથી. જેને કારણે રસોડામાં આ ડાઘવાળ વાસણ ખૂબ ગંદા લાગે ચ હે. જો તમારી સાથે પણ આવુ થાય છે તો કલાકો સુધી ટાઈમ વેસ્ટ કરીન એ બળેલા વાસણોને ચમકાવવાને બદલે કેટલાક સહેલા ઉપાય અપનાવીલો. જી હા આજે અમે તમને એ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે મિનિટોમં વાસણ ચમકાવી શકશો. 
 
બેકિંગ સોડા - બળેલા વાસણમાં 2 કપ પાણી, એક ચમચી બેકિંગ સોડા 2 ચમચી લીંબુનો રસ નાખીને 2 મિનિટ સુધી ગરમ કરો. પછી તેને સ્ટીલ વૂલથી સારી રીતે રગડીને સાફ કરી લો. વાસણ ચમકી જશે. 
 
 
મીઠુ -  જી હા મીઠુ ખાવાનો સ્વાદ વધારવાની સાતેહ કિચનની સાફ સફાઈનુ કામ પણ સહેલાઈથી કરી દે છે. જો વાસણ બળી જાય તો તેમા મીઠુ અને પાણી નાખીને 4 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ વાસણ ધોવાના સ્ક્રબર કે બ્રશથી સાફ કરી લો. તેનાથી બળેલા વાસણના નિશાન મિનિટમાં ગાયમ થઈ જશે. તમને વાસણ વધુ રગડવા નહી પડે 
 
ટામેટાનો રસ - ખાવાની સાથે ચાંદી કે વાસણોને ચમકાવવામાં પણ ટામેટાનો રસ ખૂબ મદદ કરે છે. બળેલા વાસણમાં ટામેટાનો રસ અને પાણી મિક્સ કરીને ગરમ કરો. હવે તેને રગડીને સાફ કરી લો. તમે ચાહો તો કેચઅપથી પણ તેને સાફ કરી શકો છો. કેચઅપને થોડી વાર માટે વાસણમાં નાખી મુકો પછી સ્ક્રબરથી સાફ કરો. 
 
ડુંગળી - ટામેટાની જેમ ડુંગળી પણ વાસણોની ચમક વધારવામાં અસરદાર ટ્રિક છે. ડુંગળીનો એક ટુકડો લઈને તેને બળેલા વાસણ પર નાખી દો.  હવે આ વાસણમાં પાણી નાખીને ઉકાળી લો.  આવુ કરવાથી થોડી વાર પછી આ નિશાન મટી  જશે. 
 
લીંબુ - લીબુ પણ સાફ સફાઈ માટે બેસ્ટ ટ્રિક છે. 1 મોટુ કાચુ લીંબુ લો અને તેને વાસણમાં બળેલા ભાગ પર રગડો. તમે ચાહો તો લીંબુ અને 3 કપ પાણીને વસણમાં મુકીને ઉકાળો. ત્યારબાદ બ્રશથી વાસણના બળેલા ભાગને સારી રીતે સાફ કરો. જેનાથી વાસણ સહેલાઈથી સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

12 ફેબ્રુઆરીએ ભારત બંધ: શાળાઓથી લઈને બેંકો સુધી, શું ખુલશે અને શું બંધ રહેશે, સંપૂર્ણ વિગતો અહીં

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ: જબરજસ્ત ઉથલપાથલ, ઈંગ્લેન્ડને મોટું નુકશાન, વેસ્ટ ઈન્ડિઝ ટોપ પર

કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.

મહિલા ગાયબ, સાપની ચામડી પાછળ છોડી ગઈ: ઉત્તર પ્રદેશના ગામથી ભાગી જવાથી સાપનો ડર ફેલાયો

વધુ જુઓ..

ધર્મ

મહાશિવરાત્રી 2026 - શિવ અને ગંગામાં શું સંબંધ છે

Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ભારતના 12 જ્યોતિર્લિંગ: શિવરાત્રિ પર જાણો 12 જ્યોતિર્લિંગનો મહિમા, પૌરાણિક કથાઓ અને યાત્રાની સંપૂર્ણ વિગત

મહાશિવરાત્રિ 2026: સોમનાથ દાદાના ભક્તો માટે ખુશખબર, સતત 42 કલાક મંદિર ખુલ્લું રહેશે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments