Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2019 (15:47 IST)
હોળી દરમિયાન સ્વાસ્થ્યની દેખરેખ બહુ આવશ્યક છે પણ આ સાથે જરૂરી છે રંગોના ઉપયોગમાં સાવધાની. શું તમે જાણો છો કૃત્રિમ રંગ તમારી હોળીની મજાને સજામાં ફેરવી શકે છે? આવામાં તમારે રંગો પ્રત્યે ખાસ સાવધાની દાખવવી જોઇએ. પણ પ્રશ્ન એ ઉઠે છે કે એવા કયા ઉપાયો અપનાવવામાં આવે જેથી કૃત્રિમ રંગ તમારી હોળી બગાડી ન શકે. નીચેની વિગતો વાંચશો એટલે આપોઆપ સમજી જશો કે હોળી રમતી વખતે કેવી રીતે સાવચેતી દાખવી રંગોથી થતા નુકસાનથી બચી શકાય...
 
- હોળી વગર રંગે તો સાવ ફિક્કી લાગે પણ એ વાત નકારી ન શકાય કે હોળીના રંગોમાં રહેલા કેમિકલ્સ આપણી ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
 
- વાસ્તવમાં રંગો બનાવવામાં લેડ ઓક્સાઇડ, કોપર સલ્ફેટ અને માઇકા જેવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી સિન્થેટિક ડાઇમાંથી બનેલા હોળીના રંગો ત્વચા અને વાળ માટે સહેજપણસારા નથી હોતા.
- જે લોકોની ત્વચા બહુ સંવેદનશીલ હોય છે તેમને આ રંગોથી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સમસ્યાઓમાં ખીલ, એલર્જી, એક્ઝિમા વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કેટલાકની ત્વચા પર રેશિશ પડી જાય છે તો કેટલાકના ચહેરા પર દાણા નીકળવા લાગે છે.

 
- કેટલાક લોકોની ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે તેમને હોળી બાદ ત્વચાનું કેન્સર પણ થઇ જાય છે.
 
- શું તમે જાણો છો કે હોળીના રંગોથી થતી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણીવાર હોળીના રંગોને કાઢતા-કાઢતા જ સર્જાઇ જાય છે! જોકે તમે હોળીમાં લાગેલા રંગો કઇ રીતે દૂર કરો છો તેના પર આ નિર્ભર કરે છે અને ત્વચાની દેખરેખ કઇ રીતે કરો છો.
- કેટલાક લોકો હોળીના રંગોને ઘસી-ઘસીને સાફ કરે છે જેનાથી તેમની ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાય છે.
 
- હોળીના કૃત્રિમ રંગોથી તમારા નખ પણ નબળા થઇ શકે છે. એટલું જ નહીં નબળા નખ જલ્દી વધી શકતા નથા કે પછી થોડા વધીને વચ્ચે જ તૂટી જાય છે. ઘણીવાર નખ પર ચઢેલો રંગ મહિના સુધી નથી નીકળતો. તો ઘણીવાર નખની કિનારી પર અને અંદરની ત્વચા પર રંગ ચઢી જાય છે જેનાથી તમારા નખ અને હાથ બહુ ભદ્દા દેખાય છે.

- હોળીના કૃત્રિમ રંગોથી તમારા વાળને પણ ઘણું નુકસાન પહોંચે છે. આનાથી વાળ નબળા થઇ જાય છે અને તૂટવા લાગે છે. કેટલાકને તો આ કૃત્રિમ રંગો ભરાઇ જવાને કારણે ખોડો થઇ જાય છે. વાળના મૂળમાં ખણ આવવી, એલર્જી થવી કે પછી મૂળમાં દાણા નીકળવા જેવી સમસ્યા પણ હોળીમાં દાખવવામાં આવતી બેદરકારીનું પરિણામ બની શકે છે.
 
- હોળીના કૃત્રિમ રંગોથી આંખોને નુકસાન થઇ શકે છે. કેમિકલયુક્ત રંગોને જો આંખોથી દૂર રાખવામાં ન આવ્યા તો આંખમાં સોજો આવે છે અને એલર્જી થઇ શકે છે. ઘણીવાર તો આંખોમાં વધારે પડતો રંગ જતો રહેવાથી અંધાપાનું જોખમ પણ વધી જાય છે.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments