Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી વિશેષ - હોળીમાં રાસાયણિક રંગોથી થતા નુકશાન વિશે જાણો

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (17:09 IST)
હોળીના તહેવારના આગમનમાં માત્ર એક દિવસ બાકી રહી ગયો છે. તો બીજી બાજુ નાગરિકોએ અઠવાડિયા પહેલા જ વિવિધ રંગની ખરીદી શરૂ કરી દીધી હતી. 
 
સપ્તરંગી રંગો, અબીલ-ગુલાલ રંગની ખરીદી ઝડપથી વધી રહી છે. જોકે છેલ્લાં ચાર-છ વર્ષથી ઈકોફ્રેન્ડલી રંગની માગણી વધી ગઈ હોવાથી નાગરિકોમાં ખતરનાક રાસાયણિક રંગનો ઉપયોગ કરવાનું ચલણ ઓછું થયું છે. દરમિયાન અભિયાન દ્વારા ઘણા એનજીઓે રાસાયણિક રંગનો ઉપયોગ ન કરવા માટે નાગરિકોને જાગૃત કરી રહી છે.
 
દુકાનદારોના મત અનુસાર, એક અઠવાડિયા પહેલાથી જ ગ્રાહકો હર્બલ રંગની માગણી કરી રહ્યા છે. જો તમે હર્બલ રંગથી હોળી રમવા માગો છો તો, આ રંગને સરળતાથી તમે ઘરમાં બનાવી શકો છો.
 
રાસાયણિક રંગોથી સાવધાન રહો
જો તમે રાસાયણિક રંગોથી હોળી રમવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. રાસાયણિક રંગ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. આ રંગોથી તમારી દૃષ્ટિ પણ જઈ શકે છે અને શરીરના વિભિન્ન અંગોને નુકસાન પહોંચી શકે છે.
 
નુકસાન પહોંચાડતા કૅમિકલયુક્ત રંગ
 
લાલ રંગ : આ રંગ અત્યંત ઝેરી મર્ક્યુરી સલ્ફાઈડથી બને છે, જે ત્વચાના કેન્સરનું કારણ બને છે.
 
લીલો રંગ : કૉપર સલ્ફેટથી બનતો રંગ દૃષ્ટિહીન બનાવે છે.
 
બ્લ્યુ રંગ : આ રંગ પર્શન બ્લ્યુથી બને છે. જે ચામડીના રોગ, શ્ર્વસન પ્રણાલી, લિવર અને કિડનીની બીમારીનું કારણ બને છે.
 
કાળો રંગ : આ લૅડ ઑક્સાઈડથી બનતો આ રંગથી યુરિન સિસ્ટમ પર ખરાબ પ્રભાવ પડે છે.
 
રૂપેરી રંગ : ઍલ્યુમિનિયમ બ્રૉમાઈડથી બનતો રંગ કેન્સર ફેલાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments