Dharma Sangrah

આ ઉપાય કરવાથી સપનામાં દર્શન આપશે હનુમાનજી

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2017 (20:33 IST)
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે, જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. આવો જ એક ઉપાય એ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનો  છે. આ ઉપાય હનુમાન જયંતિના દિવસથી કે પછી મંગળવારથી શરૂ કરશો તો ખાસ ફળ મળે છે. આ ઉપાય કરવા માટે આગળ વાંચો..... 








આગળ વાંચો..... 

સાવધાની  - 
આ ઉપાય કરતી વખતે  બ્રહ્મચર્યનું  પાલન કરવુ  જરૂરી છે. સાથે  જ ક્ષૌર કર્મ જેમ કે - નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે.  દારૂ અને માંસનુ  સેવન પણ આ ઉપાય કરતી વખતે  કરી શકતા નથી. 

હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે  સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લસોટી (લોટો)  જળ લઈને હનુમાનજીના મંદિરમાં જાઈને આ  જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. 
પહેલા દિવસે એક આખો અડદનો દાણો  હનુમાનજીના માથા પર મુકીને 11 પરિક્રમા કરો. 

પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને  એક જુદા ડબ્બામાં  મુકી દો. 

બીજા દિવસે બે અડદના દાણા .. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવ. અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 
42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો. જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો. 
81 દિવસનો આ ઉપાય પૂરો થતા હનુમાનજી સપનામાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. 
આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના  દાણા તમને હનુમાનજી ઉપર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

વધુ જુઓ..

નવીનતમ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments