Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરબાડામાં પુત્રની લાલસા ઠગારી નિવડી, આખરે 17મા સંતાન તરીકે દિકરી અવતરી

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:30 IST)
પંચમહાલ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામનાં દંપતીને ત્યાં પુત્રની લાલસા ઠગારી નિવડતા આખરે 17મી વાર પારણુ બંધાયુ  છે અને 17મી વખતે પણ આ દંપતીને ત્યાં દિકરીએ જન્મ લીધો હતો. હાલમાં આ દંપતીને ત્યાં 14 દિકરીઓ તથા 1 દિકરો હયાત છે. જ્યારે બે દિકરીઓ બાળપણમાં જ મૃત્યુ પામી હતી. સત્તરમા સંતાનને જન્મ આપનાર માતા ગણતરીના દિવસોમાં જ ખેતીકામમાં જોતરાયેલી જોવા મળી હતી. ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામનાં ગામતળ ફળીયામાં રહેતા 37 વર્ષના રામચંદ સંગોડ તથા 35 વર્ષની કનુબેનને લગ્ન જીવનમાં એક પછી એક એમ કુલ 14 દિકરીઓના જન્મ બાદ 15મી વખતે દિકરાનો જન્મ થયો હતો. આ 14 દિકરીઓ પૈકી બે બાળપણમાં જ મૃત્યુ પામતા ભવિષ્યમાં દિકરાને કંઇ થાય તો અન્ય એક પુત્ર જોઇએ તેવો ઇરાદો હોવાથી ઓગષ્ટ-2015માં આ કનુબહેને 16મી સંતાન તરીકે દિકરીને જન્મ આપ્યો હતો.  તેમ છતાં દિકરાની આશ નહીં ગુમાવતાં કનુબહેને 10 દિવસ પહેલા જ 17મી દિકરીને જન્મ આપ્યો છે. હાલમાં કનુબેનની 14 દિકરીઓ પૈકી બેના લગ્ન થઇ ગયા છેઇબન્નેને ત્યાં એક- એક સંતાન છેઇ જ્યારે બે દિકરીઓ ત્રીજા ધોરણમાં અને 2 ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ તમામને અભ્યાસ નથી કરાવી શકતા. બીજી તરફ દિકરીને જન્મ આપ્યાના ગણતરીના દિવસોમાં જ કનુબેન ખેતી કામમાં જોતરાઇ ગયા હોવાનું જોવા મળ્યું હતું.
 
 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments