ઈંદોર-પટણા એક્સપ્રેસ દુર્ઘટનાને લઈને સોમવારે રેલ મંત્રી સુરેશ પ્રભુ લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપશે. એવુ કહેવાય રહ્યુ છે કે સુરેશ પ્રભુ 12 વાગ્યે સંસદમાં નિવેદન આપી શકે છે. રવિવારે કાનપુરમાં લગભગ 60 કિલીમીટર દૂર પુખરાયામાં ઈન્દોરથી પટના જઈ રહેલી દુર્ઘટનાગ્રસ્ત થઈ રહેલી ઈન્દોર-પટણા એક્સપ્રેસમાં અત્યાર સુધી મૃતકોની સંખ્યા 133 થઈ છે. જ્યારે કે લગભગ 60 ગંભીર રૂપે ઘાયલ છે અને 150 લોકોને મામુલી રૂપે ઘવાયા છે. પાટા પર દરારની આશંકાને કારણે ટ્રેન ઉતરી ગઈ હોવાનુ આશંકા બતાવાય રહી છે.
દુર્ઘટના પછી કેટલાક કોચ સંપૂર્ણ રીતે કાટમાળમાં બદલાય ગયા છે. ઘટનાસ્થળ પર હાજર સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. હાલ પ્રધાનમંત્રી રાહત કોષ, રેલવે, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારોએ મૃતકો અને ઘાયલોને વળતર આપવાની જાહેરાત કરી છે.
રેલ દુર્ઘટનાના લગભગ 350 પીડિતોને લઈને એક સ્પેશલ ટ્રેન પટણા પહોંચી ગઈ છે. આ વિશેષ ટ્રેન સોમવારે વહેલી સવારે પટણા પહોંચી.