Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં ભીષણ ટ્રેન દુર્ઘટના - સિંઘમાં સામ-સામે અથડાઈ બે ટ્રેનો, અત્યાર સુધી 30ના મોત, 50 ઘાયલ

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (09:55 IST)
પાકિસ્તનના સિંઘ શહેરના ઘોટકી જીલ્લામાં બે પેસેન્જર ટ્રેન સામ સામે અથડાતા ઓછામાં ઓછા 30 મુસાફરોના મોત થઈ ગયા છે અને 50 થી વધુ ઘાયલ થયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ટ્રેન દુર્ઘટના ઘાર્કીની પાસે બની છે. પાકિસ્તાની મીડિયા મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન વચ્ચે આ ટક્કર થઈ છે. સર સૈયદ એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી. 
 
ડોન છાપા મુજબ સામ-સામેની આ ટક્કરને કારણે મિલ્લત એક્સપ્રેસની બોગીઓ પલટાઈ ગઈ. આ ભીષણ રેલ દુર્ઘટના પછી ઘોટકી, ઓબારો અને મીરપુરની હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી ઘોટકીના ડેપ્યુટી કમિશ્નર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યુ કે ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને 50  અન્ય ઘાયલ થઈ ગયા છે. ટ્રેનના કોચ પલટી જવાથી લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. 

<

#BREAKING:

Two express trains have collided in southern #Pakistan and at least 30 passengers were killed, police and rescue officials said. The Millat Express derailed and the Sir Syed Express train hit it soon afterward, police said. pic.twitter.com/EcWrUFKuvq

— Smriti Sharma (@SmritiS24856750) June 7, 2021 >
 
'6 થી 8 બોગીઓ સંપૂર્ણ નાશ પામ્યા છે'
પાકિસ્તાની અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક નોંધપાત્ર રીતે વધી શકે છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 13 થી 14 બોગીઓ પલટી ગયા હતા. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો હજી પણ બોગીઓમાં ફસાયેલા છે અને તેમને બચાવવા ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે રાહત ટ્રેન રવાના કરવામાં આવી છે.
 
 
અધિકારીઓએ એ નથી જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય કેટલો સમય સુધી ચાલશે. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે આ એક ખૂબ જ પડકારજનક કાર્ય છે. બોગીઓમાં ફસાયેલા લોકોને બચાવવા મોટી મશીનરીઓ ઘટના સ્થળ પર લાવવી પડશે. તેમણે કહ્યું કે તમામ ડોકટરોને કામ પર બોલાવવામાં આવ્યા છે. મુસાફરોને રાહત મળે તે માટે મેડિકલ કૈમ્પ બનાવાય રહ્યા છે. 

સંબંધિત સમાચાર

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments