Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે મધર ટેરેસાને અપાશે સંતની પદવી

Webdunia
શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (13:13 IST)
સંતપદ પામી રહેલાં પરંતુ વિવાદાસ્પદ ખ્રિસ્તી સાધ્વી મધર ટેરેસાને રવિવારે સંત દ્યોષિત કરવામાં આવશે. તેમણે કરેલા સેવાના સમર્પિત જીવનકાર્ય થકી તેઓ 20મી સદીના ખ્રિસ્તી ધર્મના આદર્શ તરીકે પ્રતિપાદિત થયાં છે.  શાંતિ માટેના નોબેલ ઈનામ વિજેતાથી લઈને તેઓ કેથલિક સંપ્રદાયના સર્વોચ્ચ સંતપદ સુધી પહોંચ્યાં છે. કોલકતામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની સેવા કરતાં જ તેઓ અવસાન પામ્યાં હતાં અને તેમની 19મી મૃત્યુ તિથિની પૂર્વસંધ્યાએ જ યોગાનુયોગ તેમને સંત જાહેર કરવામાં આવશે.
 
   અગાઉ કલકત્તા તરીકે ઓળખાતા વસતિથી ફાટફાટ થતા શહેરની ઝૂંપડપટ્ટીમાં વસતા સૌથી ગરીબ લોકોની તેમણે લગાતાર ચાર દાયકા સુધી અવિરત સેવા કરી હતી. તેઓ પૂર્વ ભારતમાં આયર્લેન્ડથી મિશનરી- ટીચર તરીકે આવ્યાં હતાં.    કોસોવૉર અલ્બેનિયન પરિવારમાં 1910માં જન્મેલા ટેરેસાનું 1997માં અવસાન થયું હતું. તે વખતે તેઓ વિશ્વનાગરિક તરીકે ઓળખાતાં અને એ બાદ ભારતનાં નાગરિક તરીકે તેઓ જાણીતાં થયાં હતાં.
 
   ભારતને તેમણે પોતાનું વતન બનાવીને એક પ્રતિબદ્ઘ સિસ્ટર તરીકે આજીવન સેવાકાર્યમાં તેઓ ખૂંપી ગયાં, તે એટલી હદે કે વિશ્રભરમાં તેમની નોંધ લેવાઈ અને ભારત સરકારે પણ અવસાન બાદ રાજકીય સન્માન સાથે તેમની અંતિમક્રિયાનું આયોજન કર્યું હતું.  પોતાના જીવન દરમિયાન તેમણે જે રીતે અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી એને ધ્યાનમાં લેતાં ખૂબ જ ઝડપથી તેમને સંતપદ એનાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદ્ગત પોપ જોન પોલ બીજા તેમના અંગત મિત્ર હતા. જેઓ ટેરેસાના મૃત્યુ વખતે પોન્ટિફ હતા. હાલના પોપ ફ્રાન્સિસ પણ તેમના પ્રશંસક રહ્યા છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments