Webdunia - Bharat's app for daily news and videos

Install App

22માં પ્રધાનમંત્રી બન્યા ઈમરાન ખાન, શપથ સમારંભમાં પહોંચ્યા સિદ્ધુ

22માં પ્રધાનમંત્રી બન્યા ઈમરાન ખાન   શપથ સમારંભમાં પહોંચ્યા સિદ્ધુ
Webdunia
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (11:18 IST)
ઈમરાન ખાને પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા. પૂર્વ ક્રિકેટરને દેશની નવી ચૂંટાયેલી સંસદે ગઈકાલે જ પોતાના નવા પ્રધાનમંત્રી તરીકે તેમને પસંદ ક અર્યા. પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પ્રમુખ 65 વર્ષીય ખાન ગઈકાલે સામાન્ય બહુમતથી નવા પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને આજે તેમને ગોપનીયતાની શપથ અપાવી.  ઉલ્લેખનીય છે કે દેશમાં 25 ઉઉલાઈના રોજ થયેલ સામાન્ય ચૂંટણીના ત્રણ અઠવાડિયા પછી તેમણે નવા પ્રધાનમંત્રી પદની શપથ લીધી.  આ દરમિયાન ઈમરાનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે પૂર્વ ક્રિકેટર અને પંજાબના સ્થાનીક મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા. તેઓ ઈમરાનને ભેટ સ્વરૂપ પશ્મીનાની શોલ આપી.   સિદ્ધુ પાસે 15 દિવસનો વીઝા છે. 
-રાષ્ટ્રપતિ મમનૂન હસીને ઈમરાન ખાનને પાકિસ્તાનના 22માં પ્રધાનમંત્રીના રૂપમાં પદ અને ગોપનિયતાની શપથ અપાવી 
- ઈમરાન ખાનનુ શપથ ગ્રહણ સમારંભનો કાર્યક્રમ શરૂ 
- ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મનેકા ઈસ્લામાબાદમાં થઈ રહેલ શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા પહોંચી છે. 
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)પાસે 54 બેઠકો છે. જે મતદાનમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ 15મી નેશનલ અસેમ્બલીમાં ચૂંટણી એક ઔપચારિકતા રહી ગઈ હતી, શરીફની ઉમેદવારીને લઈને પીપીપી અને પીએમએલ-એન વચ્ચે મતભેદ થયા હતા.
 
નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કેસરે જાહેરાત કરી કે ક્રિકેટરથી નેતા બનેલા 65 વર્ષીય ઈમરાન ખાનને 176 વોટ મળ્યા છે. જ્યારે તેમના એકમાત્ર વિરોધી અને પીએમએલ-એના પ્રમુખ શાહબાઝ શરીફને 96 વોટ મળ્યા છે. પરીણામની જાહેરાત બાદ પીએમએલ-એનના સાંસદોએ ઈમરાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા અને સદનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર બનાવવા માટે નેશનલ એસેમ્બલીમાં 342 સદસ્યમાંથી 172 મતથી જરૂર હોય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments