Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા હાથ પગ વારેઘડીએ સુન્ન થઈ જતા હોય તો અપનાવો આ 7 ટિપ્સ

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (17:48 IST)
હાથ અને પગ સુન્ન થઈ જવુ આજકાલ એક સામાન્ય સમસ્યા છે.  આ સમસ્યામાં વધુ સમય સુધી હલન ચલન કર્યા વગર એક જ અવસ્થામાં બેસી રહેવાથી હાથ પગની કેટલીક નસો દબાય જાય છે. જેનાથી એ નસોને ઓક્સીજન નથી મળી શકતો અને તે સુન્ન થઈ જાય છે.   આ પરેશાની ઉભી થવાના અનેક કારણો હોઈ શકે છે. અનેકવાર શરીરમાં પોષક તત્વોની કમીને કારણે હાથ પગ સુન્ન પડી જાય છે અને અનેકવાર થાક, સ્મોકિંગ, વધુ પડતી દારૂનું સેવન કે ડાયાબીટિસ હોય તો પણ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  આજે અમે તમને કેટલક આવા જ ઘરેલુ ઉપાયો બતાવીશુ જેને અપનાવીને તમે આ પરેશાનીથી મુક્ત થઈ શકો છો. ଒
 
 
1. કુણા પાણીમાં પગ પલાળો - જો તમારા હાથ કે પગ સુન્ન થઈ ગયા છે તો તમે એક વાસણમાં કુણું પાણી લો અને તેમા સેંધાલૂણ નાખો. પછી તેમા સુન્ન થયેલ અંગ લગભગ 10 મિનિટ માટે રાખી મુકો.  આવુ કરવાથી ખૂબ આરામ મળશે. 
 
2. તજનો  પ્રયોગ કરો - તજમાં ખૂબ માત્રામાં ન્યૂટ્રિએંટ્સ રહેલા હોય છે.  જે હાથ અને પગમાં બ્લડ ફ્લો વધારે છે. એક શોધ મુજબ રોજ 2-4 ગ્રામ તજ પાવડરને લેવાથી બ્લડ સર્કુલેશન વધે છે.  આ માટે 1 ચમચી તજ અને મધ મિક્સ કરીને સવારે થોડા દિવસ સુધી સેવન કરો. 
 
3. શારીરિક કસરત કરો - શારીરિક કસરત કરવાથી તમારા શરીરની નસોને ભરપૂર પ્રમાણમાં ઓક્સીઝન મળે છે. અંગોનુ વારેઘડીએ સુન્ન પડી જવાની સમસ્યા ખતમ થઈ જાય છે. 
 
4. મસાજ કરો - હાથ પગના સુન્ન પડી જતા જૈતૂન કે પછે સરસવના તેલને થોડુ ગરમ કરી તેનાથી હાથ પગની માલિશ કરો. તેનાથી નસો ખુલે છે અને બ્લડ સર્કુલેશન વધે છે અને શરીર ઠીક થઈ જાય છે. 
 
5. હળદર અને દૂધ - હળદર એંટીબેક્ટેરિયરલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ શરીરમાં બ્લડ સર્કુલેશનને વધારવાનુ કામ કરે છે.  જ્યારે તમારા હાથ કે પગ સુન્ન પડી જાય તો તમે હળદરવાળા દૂધમાં મધ નાખીને પી શકો છો. 
 
6. ગરમ પાણીથી સેકો - તમે આ અવસ્થામાં ગરમ પાણીની બોટલથી સુન્ન પડેલા ભાગની સારી રીતે સેકાય કરો. તેનાથી તમને ખૂબ આરામ મળે છે. 
 
7. મેગ્નેશિયમનુ સેવન જરૂર કરો - લીલા શાકભાજી, મેવા, ઓટમીલ, પીનટ બટર, અવાકાંડો, કેળા, ડાર્ક ચોકલેટ અને લો ફૈટ દહીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.  તેનુ સેવન કરવાથી પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments