Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજની આ 6 સારી ટેવ તમને ડાયાબિટીસથી બચાવશે

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (18:12 IST)
શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ડાયાબિટિક પેશેંટ માટે. જો શુગર લેવલ ઓછુ કે વધુ થઈ જાય તો તેનાથી હ્રદય, રક્તનળી, આંખો, કિડની અને નસોને નુકશાન થઈ શકે છે.  સાથ જ તેનાથી અનેક અન્ય બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. 
 
ડાયાબીટિસ એક ક્રૉનિક અને મેટાબોલિક વિકાર છે.  જે બ્લડ શુગરના હાઈ લેવલને દર્શાવે છે.  ઉલ્લેખનીય છે કે સૌથી સામાન્ય ટાઈપ 2 ડાયાબિટીસ છે જે આજકાલ ખૂબ જોવા મળી 
 
રહી છે.  આ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઈંસુલિન બનતુ નથી.  બીજી બાજુ ટાઈપ 1 ડાયાબિટીસમાં અગ્નાશય પોતે ખૂબ ઓછા પ્રમાણમાં કે પછી ઈંસુલિન બનાવતુ 
 
જ નથી. 
 
કેટલાક લોકો શુગરને કંટ્રોલ કરવા માટે દવાઓ લે છે પણ આ સાથે જ  ડેલી રૂટીનમાં કેટલીક ટેવ અપનાવીને પણ તેને કંટ્રોલ કરી શકો છો. ચાલો તમને બતાવીએ છીએ કે 
 
ડાયાબિટીક પેશેંટને તમારી કંઈ ટેવમાં ફેરફાર કરવો જોઈએ.  
 
હેલ્ધી ડાયેટ લો - શુગરને કંટ્રોલ કરવા માટે સૌથી જરૂરી છે હેલ્ધી ડાયેટ. કારણ કે તમે જે પણ ખાવ છો તે રક્ત શર્કરાને પ્રભાવિત કરે છે. આ માટે ડાયેટમાં ઘણા બધા શાક, ફળ,  આખા અનાજ,  નૉનફૈટ ડેયરી,  લીન મીટ અને ગ્રીન ટી લો. સાથે જ હાઈ શુગર ફુડ્સ,  ફૈટી ફુડ્સ,  દારૂ,  કૈફીન,  કાર્બ્સ અને જંક ફુડ્સથી દૂર રહો. 
 
તનાવથી રહો દૂર  - સ્ટ્રેસ લેવલ ડિપ્રેશન વધારવા ઉપરાંત તેને કારણે લોહીમાં શુગરનુ સ્તર પણ વધી જાય છે.  ઉલ્લેખનીય છે કે તનાવને કારણે તમે ડાયાબિટીસને સારી રીત પ્રબંધિત નથી કરી શકતા. તેથી તનાવથી બચવુ ખૂબ જરૂરી છે.  આ માટે વ્યાયામ કરવો,  યોગ,  યોગ્ય ખોરાક અને તમારી દવાઓ લેવી ન ભૂલશો.  સાથે જ તનાવ દૂર કરવા માટે એ કામ કરો જેનાથી તમને ખુશી મળે. 
 
એક્સરસાઈઝ - એક અભ્યાસ મુજબ રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સસાઈઝ કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ તેનાથી અન્ય બીમારીઓનો ખતરો પણ ઘટી જાય છે. આ માટે ડેલી રૂટીનમાં ફરવુ,  જિમ,  સ્પોર્ટ્સ અને યોગને સામેલ કરો.  સાથે જ રાતનુ ભોજન કર્યા પછી પણ ઓછામાં ઓછા 15-20 મિનિટ ફરવાનો નિયમ જરૂર રાખો. 
 
ધૂમ્રપાન છોડો - ફક્ત ડાયાબિટીસ જ નહી પણ અન્ય બીમારીઓથી બચવા માટે પણ જરૂરી છે કે તમે ધૂમ્રપાન ન કરો.   આ લતન છોડવા માટે તમે ડોક્ટરની મદદ લઈ શકો છો. 
 
દારૂને સીમિત કરો -  રિસર્ચનુ કહેવુ છે કે મહિલાઓ દિવસમાં 1 થી વધુ અને પુરૂષોને 2 થી વધુ પૈગ ન લેવા જોઈએ.. દારૂ તમારા લોહી શર્કરાને ખૂબ વધારી દે છે અથવા તો ખૂબ ઓછી કરે છે. તેથી સારુ રહેશે કે તમે તેનાથી દૂર રહો. 
 
નિયમિત ચેકઅપ કરાવો - 6 મહિનામાં ઓછામાં ઓછુ 1 વાર બ્લડ શુગર લેવલ જરૂર ચેક કરાવો  સાથે જ કોલેસ્ટ્રોલ ચેકઅપ પણ કરાવતા રહો. કારણ કે ડાયાબિટીસથી હાર્ટ ડિસીઝનો ખતરો પણ વધી જાય છે. આ માટે તમે ડોક્ટર પાસેથી સલાહ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments