Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગળામાં કાણું પાડયા વિના દર્દીની પેઇનલેસ સારવાર થઇ શકશે

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (13:58 IST)
કાન, નાક, ગળાના રોગોમાં ઘણાં કિસ્સામાં દર્દીના ગળામાં કાણું પાડીને સર્જરી કરવામાં આવતી હતી પણ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૃ.૭૫ લાખના ખર્ચે ઇઝરાયલ ટેકનીકથી સજ્જ લેસર મશીન મંગાવાયું છે પરિણામે હવે નાક, કાન, ગળા ઉપરાંત શ્વાસનળી અને સ્વરપેટીના ઓપરેશન વખતે ગળામાં કાણું પાડયા વિના દર્દીની પેઇનલેસ સારવાર થઇ શકશે. સ્વરપેટીના કેન્સરના દર્દીઓ માટે કાર્બન ડાયોકસાઇડ લેસર મશીન આશિર્વાદરૃપ સાબિત થશે.

શ્વાસનળી સંકોકાઇ જાય, સ્વરપેટીમાં મસા થાય, અવાજ ખોખરો થાય આવા કિસ્સામાં ઓપરેશન કરતી વખતે નોર્મલ રીતે ગળામાં કાણું પાડીને દર્દીને નળી નાંખવામાં આવે ત્યાર બાદ સર્જરી કરવામાં આવે છે. ઘણી વાર તો દર્દીને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. શ્વાસનળી સંકોચાઇ ગઇ હોય તો ગળામાં કાણું પાડી સર્જરી કરીને પહોળી કરવામાં આવે છે. હવે ઇઝરાયલ ટેકનોલોજીથી સજજ લેસર મશીન આવી સર્જરીમાં ઉપયોગી સાબિત થશે. અમદાવાદ સિવિલના ઇએન્ડટી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ.રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આ ટેકનીકને કારણે દર્દીને નાક,કાન,ગળા, સ્વરપેટી અને શ્વાસનળીના ઓપરેશનમાં ઘણી જ રાહત થશે કેમ કે, માત્ર લેસરથી ઓપરેશન કરાશે. અગાઉ દર્દીને ગળામાં કાણું પાડીને નળી નાંખ્યા બાદ પણ એકાદ બે દિવસ બાદ ઓપરેશન કરાતું હતું જેથી દર્દીને ખૂબ દર્દ સહન કરવું પડતું હતું. લેસર મશીનના માધ્યમથી થતી સર્જરીને કારણે દર્દીને પેઇનલેસ સારવાર થાય છે.એટલું જ નહી, પણ સ્વરપેટીના કેન્સરમાં તો ગાંઠની સર્જરી કરી સંપૂર્ણપણે કયોર કરી શકાય છે તેવા સારાં પરિણામો મળ્યાં છે. અત્યારે સિવિલમાં મહિને નાક-કાન અને ગળાના ૨૫ ઓપરેશન થાય છે. છેલ્લાં એકાદ સપ્તાહમાં કાર્બન ડાયોક્સાઇડની મદદથી સિવિલ હોસ્પિટલમાં ૧૨-૧૫ ઓપરેશન થયાં છે. ગરીબ દર્દીઓને આ લેસર મશીનથી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી નાક, કાન, ગળાના રોગોમાં મફત સારવાર મળશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments