Dharma Sangrah

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2024 (23:52 IST)
best time to eat curd
 
ઉનાળામાં લોકો દહીં અને દહીંની બનાવટોનું ખૂબ સેવન કરે છે. દહીંનું સેવન કરવાથી તમારી પાચન શક્તિ મજબૂત બને છે અને આ ભેજવાળા વાતાવરણમાં તેનું સેવન તમારા શરીરને ઠંડક આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દહીં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.  કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા લોકોને દહીં અને ખાંડ ખવડાવવામાં આવે છે. તે જ સમયે, ઘણા લોકો ખૂબ જ ઉત્સાહથી મીઠું ભેળવેલું દહીં ખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાંડ કે મીઠું ભેળવીને દહીં ખાવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે? છેવટે, દહીં ખાવાની સાચી રીત કઈ છે? તો ચાલો જાણીએ દહીં ખાવાની સાચી રીત?
 
શું આપણે દહીંમાં મીઠું કે ખાંડ ભેળવીને ખાવું જોઈએ?
દહીં અને ખાંડઃ આયુર્વેદ અનુસાર ખાંડ અને દહીંનું આ મિશ્રણ તમારા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાંડ ભેળવીને દહીં ખાવાથી બળતરા અને એસિડિટીની સમસ્યા ઓછી થાય છે. પરંતુ એકસપર્ટ્સ કહે છે કે દહીં અને ખાંડ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બંનેનું સંયોજન હાઈ  કેલરી છે. તેના સેવનથી વજન ઝડપથી વધે છે અને લોકો સ્થૂળતાનો શિકાર બને છે. આ ઉપરાંત ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટનાં દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.
 
દહીં અને મીઠું: દહીં અને મીઠાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ વિકલ્પ છે. જો તમે રાત્રે દહીંનું સેવન કરો છો તો તેને મીઠું ભેળવીને ખાઓ, તેનાથી તમારું પાચન સારું થાય છે. જો કે, મીઠું એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે તેથી તે દહીંમાં રહેલા ફાયદાકારક બેક્ટેરિયાને મારી નાખે છે. આ ઉપરાંત વિશેષજ્ઞ  એવી પણ સલાહ આપે છે કે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ મીઠું નાખેલું  દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી બીપી વધી શકે છે. આ ઉપરાંત સ્ટ્રોક અને હાઈપરટેન્શનની શક્યતા પણ વધી જાય છે.
 
શું છે દહીં ખાવાની સાચી રીત ?
દહીં ખાવાની સૌથી આરોગ્યપ્રદ રીત એ છે કે તેમાં મીઠું કે ખાંડ ન નાખવું. બને એટલું સાદું દહીં જ ખાઓ. તેમજ જો તમે નાસ્તામાં દહીં ખાતા હોય તો તમે દહીંમાં ખાંડ ઉમેરી શકો છો. જો તમે બપોરે કે રાત્રે દહીં ખાતા હોય તો તેમાં મીઠું નાખો. આ ઉપરાંત જો તમને ડાયાબિટીસ હોય તો દહીંમાં મીઠું નાખીને જ ખાવું જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments