rashifal-2026

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Webdunia
મંગળવાર, 18 માર્ચ 2025 (10:43 IST)
Arjun chaal tea
Herbal Tea For Heart - છેલ્લા કેટલાક વર્ષો હાર્ટની બીમારીઓનો ખતરો ખૂબ તેજી વધી રહી છે. પહેલા વધુ વયનાં લોકોની હાર્ટની બીમારીઓ થતી હતી. પણ હવે ઓછી વયનાં લોકો પણ તેનો સામનો કરી રહયા છે. ખરાબ લાઈફસ્ટાઇલને કારણે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થઈ રહી છે, જે હાર્ટ અટેકનો ખતરો અનેક ગણો વધારી રહી છે.  આવી સ્થિતિમાં સમય સમય પર તમારા હાર્ટનું ચેકઅપ કરાવતા રહો અને તેની સાથે કેટલીક આયુર્વેદિક અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો જે હાર્ટને મજબૂત બનાવશે અને હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઘટાડશે. તમારા હાર્ટને સ્વસ્થ બનાવવા માટે, સવારે ઉઠ્યા પછી આ દેશી ચા પીવાનું શરૂ કરો. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.
 
હાર્ટ માટે અર્જુનની છાલના ફાયદા
મોટાભાગના આયુર્વેદ નિષ્ણાતો અર્જુનની છાલને હાર્ટ માટે અસરકારક માને છે.  અર્જુનની છાલ હાર્ટ માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. અર્જુનની છાલનો ઉપયોગ માત્ર દિલને મજબૂત બનાવવામાં જ ઉપયોગી નથી પણ તે બીજા ઘણા ફાયદા પણ આપે છે. અર્જુનની છાલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે અને હાર્ટની પમ્પિંગ શક્તિમાં પણ વધારો કરે છે.
 
અર્જુનની છાલના ફાયદા
અર્જુનની છાલમાં અસંખ્ય પોષક તત્વો અને ફાયટોકેમિકલ્સ હોય છે, જે તેને સૌથી અસરકારક આયુર્વેદિક ઔષધિઓમાંની એક બનાવે છે. અર્જુનની છાલમાં ફ્લેવોનોઈડ્સ, ટેનીન, ટ્રાઈટરપેનોઈડ્સ અને સેપોનિન જેવા ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં આર્જુનોલિક એસિડ, ગેલિક એસિડ, એલાજિક એસિડ જેવા ઘણા આવશ્યક સંયોજનો પણ મળી આવે છે.
 
અર્જુનની છાલ શું કામમાં આવે છે? 
અર્જુનની છાલ કોઈ અસરકારક દવાથી કમ નથી. તેનો ઉપયોગ ફક્ત દિલને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે જ નથી થતો પરંતુ તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે. અર્જુનની છાલ શુષ્ક ત્વચા, કફ અને ઉધરસમાં પણ રાહત આપે છે. આ માટે અર્જુનની છાલનો ટુકડો પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ગાળી લો અને તેની છાલ કાઢીને ફેંકી દો. હવે આ પાણી પી લો.
 
અર્જુનની છાલનો ઉપયોગ
અર્જુનની છાલનો પાવડર પણ બજારમાં મળે છે. તેને પાણીમાં આદુ અને તુલસી સાથે નાખીને ઉકાળો. સવારે ખાલી પેટે આ પાણી પીવો. જો તમે ઈચ્છો તો, તમે અર્જુનની છાલની ચા બનાવી સવારે પી શકો છો. જેમાં તમે મુલેઠી  અને સ્ટીવિયા ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ ઉપરાંત, અર્જુનની છાલના પાવડરને મધમાં ભેળવીને તેનું સેવન કરો. આયુર્વેદમાં અર્જુનની છાલની ગોળીઓ પણ ઉપલબ્ધ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની મોટી ભેટ: શહેરી સુવિધાઓ અને હાઈવે પ્રોજેક્ટ્સ માટે 1 લાખ કરોડથી વધુની ફાળવણી

15 ફેબ્રુઆરી ક્રિકેટ ફેંસ માટે બનશે સુપર સંડે, એક જ દિવસે બે દેશો વચ્ચે રમાશે IND vs PAK મેચ

India vs Pakistan Press Conference : ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવશો કે નહી ? સલમાન આગાએ આપ્યો આ જવાબ

મહારાષ્ટ્ર - મુંબઈના મુલુંડમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો ભાગ પડ્યો, અનેક લોકો ઘાયલ થવાના સમાચાર

વધુ જુઓ..

ધર્મ

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

15 February 2026 Ka Panchang: 15 ફેબ્રુઆરી 2026 નુ શુભ મુહૂર્ત શુ છે, સાથે જ જાણો રવિવારનો રાહુકાળ અને સૂર્યોદય સૂર્યાસ્તનો સમય

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

આગળનો લેખ
Show comments