Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (08:18 IST)
લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો  મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે. 
જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય  તો માણસને  સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું  કામ કરે છે. આ એક  પ્રકારનું સુપર ફૂડ છે. 
 
એને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ  મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય. પછી એને સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ . 
હમેશા કાચુ અને શુદ્ધ મધનો  પ્રયોગ કરો કારણકે આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે. હવે જાણો આ કાચુ લસણ અને શુદ્ધ મધ ખાવાના લાભ. 

ઈમ્યુનિટી વધારે 
લસણ અને મધના મિશ્રણથી શક્તિ વધે  છે અને પછી આ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઈમ્યુન સિસ્ટમ મજબૂત થવાથી શરીર મૌસમની મારથી સેફ રહે  છે અને  કોઈ રોગ થતો નથી. 

દિલની સુરક્ષા કરે 
આ મિશ્રણને ખાવાથી હૃદય સુધી જતી ધમનિઓમાં એકત્ર થયેલુ  વસા નિકળી જાય છે. જેનાથી લોહીનો  પ્રવાહ સારી રીતે હૃદય સુધી પહોંચી જાય છે. આનાથી હૃદયની સુરક્ષા થાય છે. 

ગળાની ખરાશ દૂર કરે 
આ મિશ્રણને લેવાથી ગળાનું  સંક્રમણ દૂર થાય છે કારણ કે એમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજો ઓછો કરે છે. 

ડાયેરિયાથી બચાવે 
જો કોઈને ડાયેરિયા થઈ રહ્યો હોય તો તેમને આ મિશ્રણ ખવડાવો. આથી પાચન તંત્ર  ઠીક થઈ જશે અને પેટનું સંક્રમણ મટી  જશે. 

શરદી-ખાંસીથી રાહત 
એને ખાવાથી શરદી-ખાંસી સાથે સાઈનસની પ્રોબ્લેમ પણ ખૂબ ઓછી થઈ જાય છે.  આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને રોગોને દૂર રાખે છે.

ફંગલ ઈંફેક્શનથી બચાવે 
ફંગલ ઈંફેક્સ્શન શરીરના ઘણા ભાગો પર હમલા કરે છે  પણ એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું આ મિશ્રણ બેક્ટીરિયાને ખતમ કરી શરીરને બચાવે છે. 

ડીટોક્સ 
આ એક પ્રાકૃતિક ડીટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરની ગંદકી  અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

આગળનો લેખ
Show comments