rashifal-2026

કોરોના વાઈરસ શુ છે ? જાણો તેના લક્ષણ

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (11:05 IST)
દર્દીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે.
કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.
નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.
સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.
કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.
 
ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?
આ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી.  તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shukra Gochar 2026: શુક્ર ગ્રહ કરશે કુંભ રાશિમાં ગોચર, આ ૩ રાશિઓને મળશે ધન અને સબંધોમાં મજબૂતી, મુખ્ય નિર્ણય લેવાનો અનુકૂળ સમય

IND vs NZ: ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનનાં રેકોર્ડ કર્યો ચકનાચૂર, ટી 20 ઈન્ટરનેશનલમાં બનાવી દીધો કીર્તિમાન

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 જાન્યુઆરીની શુભેચ્છા

VIDEO: ઉજ્જૈનના તરાનામાં ભડકી હિંસા, જુમ્માની નમાજ પછી વધ્યો તનાવ, ઉપદ્રવીઓએ ફેક્યા પત્થર, બસને લગાડી આગ

Bank Holiday: ત્રણ દિવસ રજા, 27 જાન્યુઆરીએ સ્ટ્રાઈક, આવતીકાલથી પૂરા ચાર દિવસ બેંક રહેશે બંઘ, આજે જ પતાવી લો કામ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments