Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ, જાણો કેમ ?

Webdunia
રવિવાર, 9 ડિસેમ્બર 2018 (08:09 IST)
મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.  બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે.  ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે.  કદાચ આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાની ડાયેટમાં બદામને સામેલ કરે છે.  ઉલ્લેખનીય છે કે જરૂરી નથી કે બદામ બધા જ માટે લાભકારી હોય. કેટલાક લોકો એવા પણ છે જેમને બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે. 
જો તમે પણ બદામ ખાવ છો તો પહેલા એ જરૂર જાણી લો કે બદામ તમારે માટે લાભકારી છે કે નહી. જેથી તમને પાછળથી કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે. આવો જાણીએ બદામ કયા લોકોને નુકશાન પહોંચાડે છે. 
 
1. બ્લડ પ્રેશર - જો તમારુ બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહે છે તો બદામથી દૂર રહો. કારણ કે દવાઓ સાથે બદામનુ સેવન નુકશાન પહોંચાડી શકે છે અને સમસ્યા વધી શકે છે. 
 
2. પથરી - કિડની કે ગોલ બ્લેડર પથરી કે તેની સાથે જોડાયેલી અન્ય પ્રોબ્લેમ રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે તેમા ઓક્સલેટ વધુ માત્રામાં હોય છે જે તમને નુકશાન પહોંચાડી શકે છે. 
 
3. ડાયજેશન - બદલતી લાઈફસ્ટાઈલમાં ડાયજેશન સાથે જોડાયેલી સમસ્યા મોટાભાગના લોકોને રહે  છે. જો તમને પણ ડાયજેશન સંબંધી સમસ્યા કે એસીડીટી રહે છે તો બદામ બિલકુલ ન ખાશો. કારણ કે બદામમાં ફાયબર વધુ હોય છે.  જેનાથી પરેશાની વધી શકે છે.  
 
4. જાડાપણુ - જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને બદામ તમારી ડાયેટમાં સામેલ છે તો તેનુ સેવન ન કરો. ઉલ્લેખનીય છે કે બદામમાં કેલોરી અને વસા વધુ હોય છે. આવામાં બદામનું વધુ સેવન કરવાથી જાડાપણુ વધતુ જાય છે. 
 
5. એંટીબાયોટિક મેડિસન - બદલતી જીવનશૈલીમાં કોઈને કોઈ હેલ્થ પ્રોબ્લેમ્બ હંમેશા રહે છે અને દવાઓ છે કે પીછો છોડતી નથી.  જો તમે પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે એંટીબાયોટિક મેડિસિન ખાઈ રહ્યા છો તો બદામનું સેવન ન કરો. 
- બદામ હાઈ બ્લડ પ્રેશર માટે પણ સારી હોય છે. બદામનુ સેવન કરવાથી બ્લડમાં અલ્ફા ટોકોફેરોલની માત્રા વધી જાય છે જે કોઈના પણ બ્લડપ્રેશરને કાયમ રાખવા માટે મહત્વપુર્ણ હોય છે. 
 
- રાત્રે પાણીમાં પલાળીને સવારે છાલટા ઉતારીને ખાવી વાંચનારા બાળકો માટે ફાયદાકારી છે. તેનાથી સ્મરણ શક્તિ ઝડપી હોય છે. 
 
- બદામ જમ્યા પછી શુગર અને ઈંસુલિનનુ લેવલ વધતા રોકે છે. જેનાથી ડાયાબિટીસથી બચી શકાય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments