Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rules Change From 1 February 2022- હવે 1લી ફેબ્રુઆરીથી બદલાઇ જશે આ નિયમો, સીધી તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

Rules Change From 1 February 2022
Webdunia
રવિવાર, 30 જાન્યુઆરી 2022 (11:37 IST)
1 ફેબ્રુઆરી 2022થી બેંકથી સંકળાયેલા ઘણા નિયમો બદલશે. તેની સાથે દર મહીનાની 2 તારીખને રાંધણગેસની કીમત પણ રજૂ થાય છે. તેમજ દરેક વર્ષ 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાંથી દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણો ફેરફાર થશે. બજેટ સિવાય પણ 1 ફેબ્રુઆરીથી અનેક મહત્વનાં ફેરફાર થવાના છે. ત્યારે આ ફેરફારની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે.
 
SBI કરી રહી છે મોટા ફેરફારો!
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈંડિયા 2 લાખથી 5 લાખ રૂપિયાના વચ્ચે  IMPS ટ્રાજેક્શન કરવા પર હવે 20 રૂપિયાના સાથી જીએસટી પણ વસૂલશે. તમને જણાવીએ કે આરબીઆઈએ ઓક્ટોબર 2021માં  IMPSના ટ્રાજેકશનની લિમિટ વધારીને 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી હતી. તેથી હવે એસબીઆઈના કસ્ટમર દરરોજ 2 લાખ રૂપિયા 5 લાખનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. 
 
 
બેંક ઓફ બરોડાએ પણ બદલ્યા આ નિયમો - 1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાના ગ્રાહકોના ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. હવે 1 ફેબ્રુઆરીથી ગ્રાહકોએ ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે ચેકથી સંબંધિત માહિતી મોકલવાની રહેશે, તો જ ચેક ક્લિયર થશે. આ ફેરફાર રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે. 
 
PNB ને પણ SBI જેવો આંચકો - પંજાબ નેશનલ બેંકે EMI અથવા અન્ય કોઈપણ વ્યવહાર ખાતામાં અપૂરતી બેલેન્સને કારણે નિષ્ફળતા માટે 250 રૂપિયા દંડ તરીકે લેવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી PNB ગ્રાહકને દંડ તરીકે 100 રૂપિયા ચૂકવવા પડતા હતા.
 
LPG LPG સિલિન્ડરની કિંમત - LPG ની કિંમત દર મહિનાની 1લી તારીખે બહાર પાડવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે 1 ફેબ્રુઆરીના રોજ સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરે છે કે કેમ, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર એલપીજીના ભાવમાં વધારો નહીં કરે તેવી અપેક્ષા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

બોધવાર્તા વૃદ્ધ મહિલાની હોશિયારી

દરરોજ સવારે પીવો આ ઔષધીય પાણી, હ્રદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments