Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિલાયન્સ રિટેલનો પહેલો 'સ્વદેશ' સ્ટોર હૈદરાબાદમાં ખુલ્યો

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (07:22 IST)
nita ambani
-  નીતા અંબાણીએ કર્યું ઉદ્ઘાટન 
-  20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે આ સ્ટોર
- રિલાયન્સ અમેરિકા અને યુરોપમાં પણ 'સ્વદેશ' સ્ટોર ખોલશે
 
 રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન, નીતા અંબાણીએ તેલંગાણામાં રિલાયન્સ રિટેલના પ્રથમ 'સ્વદેશ' સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર ભારતીય કલા અને હસ્તકલાને સમર્પિત છે. સ્વદેશ સ્ટોર, ભારતની સદીઓ પહેલાની કલા અને હસ્તકલાને વૈશ્વિક સ્તર પર લઈ જવાના ઉદ્દેશ્યથી બનેલા સ્વદેશ સ્ટોરમાં પરંપરાગત કલાકારો અને કારીગરોના ઉત્પાદનો અને હસ્તકલા વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. 
 
બિઝનેસવુમન નીતા અંબાણીનું માનવું છે કે રિલાયન્સ રિટેલના 'સ્વદેશ' સ્ટોર્સ ભારતની વર્ષો જૂની કલાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ બનવાની સાથે કારીગરો અને શિલ્પકારો  માટે આવકનો સ્ત્રોત પણ બનશે. સ્વદેશ સ્ટોરમાં હસ્તકલા ઉપરાંત હાથથી બનાવેલી ખાદ્ય ચીજવસ્તુઓ અને કપડાં જેવા ઉત્પાદનો પણ ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.
 
હૈદરાબાદમાં ઉદ્ઘાટન પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું, “સ્વદેશ ભારતની પરંપરાગત કલા અને કારીગરોને બચાવવા અને તેમને આગળ વધારવા માટે એક નમ્ર પહેલ છે. તે 'મેક ઇન ઇન્ડિયા'ની ભાવનાને રહેલી છે અને આપણા કુશળ કારીગરો અને શિલ્પકારો માટે ગૌરવ સાથે આજીવિકા કમાવવાનું સાધન બનશે. તેઓ ખરેખર આપણા દેશનું ગૌરવ છે અને સ્વદેશના માધ્યમથી અમે તેમને વૈશ્વિક ઓળખ આપવાનો પ્રયત્ન કરીશું જેના તેઓ હકદાર છે. અમે ભારતની સાથે અમેરિકા અને યુરોપમાં પણ સ્વદેશનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરીશું.”
 
મુંબઈમાં તાજેતરમાં શરૂ કરાયેલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી) ખાતે સ્વદેશ એક્સપિરિયન્સ ઝોન બનાવવામાં આવ્યો છે. જ્યાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો કામ પરના માસ્ટર કારીગરોને જોઈ શકે છે, તેમની સાથે વાર્તાલાપ કરી શકે છે અને ખરીદી પણ કરી શકે છે. એનએમએસીસીના કારીગરોને એટલા બધા ઓર્ડર મળ્યા કે ત્રણ દિવસ માટે બનાવવામાં આવેલા આ એક્સપિરિયન્સ ઝોનની મુદત લંબાવવી પડી. અહીં વેચાતા તમામ ઉત્પાદનોની સંપૂર્ણ આવક કારીગરોના ખિસ્સામાં જાય છે.
swadesh
‘સ્વદેશ’નો વિચાર માત્ર સ્ટોર ખોલવા પૂરતા સીમિત નથી. પાયાના સ્તરે, સમગ્ર ભારતમાં 18 રિલાયન્સ ફાઉન્ડેશન આર્ટિસન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ (RAISE) કેન્દ્રો સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેનાથી 600 થી વધુ હસ્તકલા ઉત્પાદકોને ખરીદારીનો મંચ મળવાની આશા છે.   સ્વદેશ સ્ટોરમાં જો ગ્રાહક કોઈ પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતો હોય તો "સ્કેન એન્ડ નો(Know)" ટેક્નોલોજીની સુવિધા પણ છે. જેના દ્વારા દરેક પ્રોડક્ટ અને તેના નિર્માતા પાછળની સ્ટોરી જાણી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

આગળનો લેખ
Show comments