Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતા અંબાણીએ 3000 થી વધુ વંચિત બાળકોને ભોજન કરાવીને ઉજવ્યો 60મો જન્મદિવસ

nita ambani
નવી દિલ્હી , ગુરુવાર, 2 નવેમ્બર 2023 (13:06 IST)
nita ambani
 -  3 હજાર અનાથ બાળકો સાથે ઉજવ્યો જન્મદિવસ 

રિલાયંસ ફાઉંડેશનની ફાઉંડર અને ચેયરપર્સન નીતા અંબાનીએ 1 નવેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે અન્ન સેવા હેઠળ 15 રાજ્યોના 1.4 લાખ લોકોને ભોજન આપવામાં આવ્યુ. અન્ન સેવા દ્વારા લગભગ 75 હજાર લોકોને તૈયાર ભોજન પીરસવામાં આવ્યુ. તો બીજી બાજુ લગભગ 65 હજાર લોકો માટે કાચુ અનાજ વિતરિત કરવામાં આવ્યુ. 

Nita Ambani Celebrates 60th Birthday
બાળકો, વૃદ્ધાશ્રમોમાં રહેતા વૃદ્ધો, રોજ રોજી રોટી કમાવવા નીકળતા લોકો, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો, રક્તપિત્તના દર્દીઓ અને વિશેષ મદદના અધિકારી લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ભોજન વિતરણથી લઈને ગરમાગરમ ભોજન પીરસવા સુધીની તમામ કામગીરી રિલાયન્સના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી. નીતા અંબાણીએ પોતાનો જન્મદિવસ વંચિત સમાજના લગભગ 3000 બાળકો સાથે ઉજવ્યો.
webdunia
neeta ambani
કોરોના મહામારી દરમિયાન પણ નીતા અંબાણીના રિલાયન્સ ફાઉન્ડેશને અન્ન સેવાના નામે તે સમયનો સૌથી મોટો અન્ન વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. ફાઉન્ડેશન અનુસાર, નીતા અંબાણીના જન્મદિવસ પર ભોજન વિતરણ એ જ પરંપરાનું વિસ્તરણ છે.
 
નીતા અંબાણીએ શિક્ષણ, મહિલા સશક્તિકરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.  તેમના નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ફાઉન્ડેશને સમગ્ર દેશમાં 7 કરોડ 10 લાખથી વધુ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IIM અમદાવાદમાં પ્લેસમેન્ટ માટે મેનેજમેન્ટ સેકટરની વર્લ્ડ ક્લાસ કંપનીઓ પ્રથમ તબક્કામાં આવી